ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂં, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતમાં પણ રાજ્ય સરકારના આદેશ મુજબ કોવિડ-19ના તમામ SOPનું પાલન કરી ધોરણ-6 થી 8ની ઓફલાઇન શાળાઓ શરૂ કરવામાં આવી છે.Body:ઘણા લાંબા સમય બાદ ઘોરણ-6 થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે..

By

Published : Sep 2, 2021, 10:32 AM IST

Updated : Sep 2, 2021, 12:01 PM IST

school
આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂં, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

  • રાજ્યમાં આજથી શાળાઓ શરૂ
  • વિદ્યાર્થીઓ શાળા આવી થયા ખુશ
  • શાળોઓએ રાખી પૂરતી કાળજી

સુરત: રાજ્ય સરકારના આદેશ મુજબ આજથી(ગુરુવાર) રાજ્ય અને શહેરોમાં ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ધીરે ધીરે કોરોના કેસ ખુબ જ ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પેહલા જ આ જાહેરાત કરી હતી કે, "હવે ધોરણ-6 થી 8ની શાળાઓ પણ ચાલુ કરવામાં આવશે".સુરતમાં પણ રાજ્ય સરકારના કોવિડ-19ના તમામ SOPનું પાલન કરી 50%ની હાજરી સાથે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે આવે એટલે તેમને આપવામાં આવેલા સંમતિપત્રક તથા સ્કૂલના ગેટ ઉપર જ ફુલ સંચાલક દ્વારા હેન્ડસૅનેટાઇઝ, ટેમ્પરેચર માપી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.એક વર્ગખંડમાં એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે તે રીતે સ્કૂલ સંચાલકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પણ પોતાની સાથે હેન્ડસૅનેટાઇઝ લઈને આવ્યા છે.

કોવિડ-19 વિશે માહિતી આપવામાં આવી

આજથી ધોરણ 6 થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ થઇ ગયા છે તો ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનું મન ચંચળ હોય છે. વિદ્યાર્થીઓને પહેલાની જેમ બેસવાની ટેવ હોવાથી સૌથી પેહલા વિદ્યાર્થીઓને કોવિડ-19ની માહિતી આપવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ આ વિશે સમજ મેળવી શકે અને તમામ વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં ઝિકઝોક રોમાં બેસાડવામાં આવ્યા છે.

ઓનલાઇન કલાસ પણ ચાલુ જ રહેશે.

આજથી ધોરણ-6 થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ થઇ ગયા છે તો બીજી બાજુ ઓનલાઇન વર્ગો પણ ચાલુ જ રહેશે.જેથી જે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કોરોના કે પછી અન્ય કારણના લીધે સ્કૂલે ના મોકલે તો તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ પણ ચાલુ જ રહેશે. જેથી આવા વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ પણ પ્રકારનો કચાશ રહી નઈ જાય.

આ પણ વાંચો : આજે Share Marketમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17,000ને પાર

80% હાજરી

દીપીકા શુક્લ જણવાણે છે કે," રાજ્ય સરકારના આ નિર્ણયને ખુબ જ ખુશીથી વધાવું છું. સમાજને પણ અભિનંદન આપું છું. બાળકોનું શિક્ષણ જે લાંબા સમયથી ખોરવાઈ ગયું હતું હવે ચાલુ થયું છે. ઓનલાઇન એજયુકેશનથી અમે સંતુષ્ટ ન હતા ન તો સમાજ સંતુષ્ટ હતો ન તો બાળકો સંતુષ્ટ હતા. બાળકોની જે ખરી જિંદગી છે આ શિક્ષણ મેળવવાની અને એન્જોય કરવાની લાઈફ હવે શરૂ થઇ છે. ભાગવાન કરે શિક્ષણ અવિરત ચાલે. સ્કૂલ બિલ્ડીંગ સંપૂર્ણપણે સજ્જ જ છે કારણકે 9 થી 12ના બાળકો આવતા હતા અને અમે દોઢ વર્ષથી સતત શાળાને વારંવાર સૅનેટાઇઝ કરતા હતા .જયારે આ બાળકો ફરી પછી શાળાએ આવના હતા, ત્યારે અમે સતત એક અઠવાડિયાથી વાલીઓ સાથે મિટિંગ કરી તેઓના આ બાબતે ચર્ચાઓ કરી તેઓના નિર્ણય જાણ્યા હતા. તેઓને પણ સમજવામાં આવ્યા હતા.અમે અમારી વાતો પણ તેમની સમક્ષ મૂકી હતી.અને વાલીઓને પણ સંપૂર્ણ ખાત્રી છેકે શાળાઓ તેમનાં તરફથી સંપૂર્ણ કાળજી લેવાશે.

આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂં, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
અમારી સ્કૂલ સાથે મિટિંગ થઇ હતી

એક વાલી જણાવે છે કે," મારું બાળકો 8માં ધોરણના ભણે છે અને મારા બાળકોને ખુશી હતી કે તે શાળાએ જઈ રહ્યો છે. ઓનલાઇન કરતા ઑફલાઇન જ સારુ છે. કારણકે ઓનલાઇનમાં ઘરમાં પણ નેટવર્કની તકલીફ થાય, લાઈટનો પ્રોબ્લેમ થાય એમાં બાળકો ખુબ જ હેરાન તથા હતા. મોબાઈલ અમુક વખત હેન્ગ થઇ જતા હતા.ટીચરસ શું બોલે એ સમજી નઈ સકતા હતા. વાલીઓ થોડા ડરે છે પરંતુ હવે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવા જોઈએ .સ્કૂલ ચાલુ થાય એ પેહલા અમારી સ્કૂલ જોડે મિટિંગ થઇ હતી.


ઑફલાઇનમાં શિક્ષકો સામે હોય છે

ધોરણ 7માં અભ્યાસ કરતી રીયા બ્રમ્હભટ્ટ જણાવે છે કે, " હું ધોરણ-7માં અભ્યાસ કરું છું.મને ખુબ જ ગમી રહ્યું છેકે હું આટલા દિવસો પછી સ્કૂલે આવી છું.મને ખુબ જ સારુ લાગી રહ્યું છે. મને ઑફલાઇન શિક્ષણમાં મજા આવે છે. ઓનલાઇન શિક્ષણમાં મજા આવે પણ ઑફલાઇન શિક્ષણમાં મજા આવે કારણકે ઑફ્લાઈનમાં ટીચરો સામે હોય છે. ભણાવતા હોય સરસ રીતે આપણને પૂછે બોલે એવી રીતે આખું લોકડાઉનતો ઓનલાઇન ભણતા હતા એમાં પણ મજા આવતી હતી.પણ એના કરતા અહીંયા સારુ લાગે છે. સ્કૂલ તરફથી પણ ખુબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. હેન્ડસૅનેટાઇઝ કરવું. વારંવાર ટેમ્પરેચર માપવું.બધું બરાબર છે".

આ પણ વાંચો : આજથી ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓને ઓફલાઇન વર્ગમાં મળશે શિક્ષણ

ઑફલાઇનમાં શાંતિથી બેસીને ભણી શકીએ છીએ

ધોરણ 7માં અભ્યાસ કરતો વિરાજ ગજ્જર જણાવે છે કે, " હું ધોરણ-7માં અભ્યાસ કરી રહ્યો છું. સ્કૂલે આવામાં વધારે મજા આવે છે ઓનલાઈશ શિક્ષણમાં ઘણી તકલીફ પડતી હતી પણ ઑફલાઇનમાં એક દમ શાંતિથી બેસીને ભણી શકીએ છીએ.અમે આજે સ્કૂલે આવ્યા છે તેવું લાગી રહ્યું છે કે ફરીથી પહેલા જેવું થઈ ગયું છે.

મધ્યાહન ભોજનની કોઈ વ્યવસ્થા નહી

આજથી ઘોરણ-6 થી 8ની શાળાઓની શરૂઆત થઇ ગઈ છે. તો સુરતના નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હજી સુધી મધ્યાન ભોજનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આજ પેહલે દિવસ હોવાથી હવે ધીરે ધીરે બધા વાલીઓનું સંમતિ લઈ અમે મધ્યાન ભોજનની પણ વ્યવસ્થા કરીશું. કારણકે હાલ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે.તેમની ગણતરી પાકા પાયે આકડો લઈ મધ્યાન ભોજનની વ્યવસ્થા કરીશું.

Last Updated : Sep 2, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details