- સુરતમાં ફાયર વિભાગ દ્વારા ફરીથી ફાયર સેફ્ટી અંગેનું યેકિંગ શરૂ
- વારંવાર નોટિસો આપવા છતાં માત્ર 5 ટકા કામ જ કરવામાં આવ્યું
- આર્કેડમાં ચાલતા હોસ્પિટલો અને ક્લિનીકોનાં દર્દીઓનાં જીવ જોખમમાં
ફાયર સેફ્ટીમાં ઉદાસીનતા બદલ 392 દુકાનો ધરાવતા શ્રીજી આર્કેડ બે વર્ષમાં બીજી વખત સીલ - ગુજરાત સમાચાર
સુરતનાં અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેડને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવા બદલ સીલ મારવામાં આવ્યું છે. અડાજણ ફાયર સ્ટેશન દ્વારા આ અગાઉ શ્રીજી આર્કેડને ત્રણ વખત નોટિસ અને એક વખત સીલ પણ મારવામાં આવ્યું હતુ. તેમ છતા ફાયર સેફ્ટીમાં ઉદાસીનતા રાખવા બદલ છેલ્લા બે વર્ષમાં બીજી વખત સીલ કરવામાં આવ્યું છે.
![ફાયર સેફ્ટીમાં ઉદાસીનતા બદલ 392 દુકાનો ધરાવતા શ્રીજી આર્કેડ બે વર્ષમાં બીજી વખત સીલ ફાયર સેફ્ટીમાં ઉદાસીનતા બદલ 392 દુકાનો ધરાવતા શ્રીજી આર્કેડને બે વર્ષમાં બીજી વખત સીલ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10592373-841-10592373-1613101123749.jpg)
ફાયર સેફ્ટીમાં ઉદાસીનતા બદલ 392 દુકાનો ધરાવતા શ્રીજી આર્કેડને બે વર્ષમાં બીજી વખત સીલ કરાયું
સુરત: સુરતનાં અડાજણ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે ચેકિંગ દરમિયાન લોકોની અવરજવરથી ભરપૂર રહેતા શ્રીજી આર્કેડમાં ફાયર સેફ્ટીનાં અપૂરતા સાધનો હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં ત્રણ વખત નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા કામગિરીમાં ઉદાસીનતા દાખવવામાં આવી હોવાથી ફાયર વિભાગ દ્વારા શ્રીજી આર્કેડને સીલ કરવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જુલાઈ 2019માં પણ આ જ કારણોસર શ્રીજી આર્કેડને સીલ કરવામાં આવ્યું હતું.
ફાયર સેફ્ટીમાં ઉદાસીનતા બદલ 392 દુકાનો ધરાવતા શ્રીજી આર્કેડને બે વર્ષમાં બીજી વખત સીલ કરાયું
Last Updated : Feb 12, 2021, 1:05 PM IST