ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ફાયરવિભાગ અને શિક્ષણ અધિકારીઓ દ્વારા સ્કુલ કોલેજોને ફાયર NOC લેવા માટે જાણ કરાઈ - Surat fire Safety

કોરાનાનો સમયગાળો ચાલી રહ્યો છે. ત્યારે દસ મહિનાઓથી સ્કૂલ-કોલેજો બંધ છે. તે કારણે જ સુરત શહેરના શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ શાળા અને કોલેજોને જાણ કરવામાં આવ્યું છે કે તમારા સ્કૂલ-કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો બરોબર ચકાસીને વસાવી લેવા માટે જાણ કરવામાં આવી અને જો ફાયર NOC લેવાની બાકી હોય તે લઈ લેવું. નહીંતર સ્કૂલ-કોલેજ સીલ મારવામાં આવશે અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

સુરત ફાયરવિભાગ
સુરત ફાયરવિભાગ

By

Published : Jan 9, 2021, 12:42 PM IST

  • સુરતની તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીનું NOC લેવું જરૂરી બન્યું
  • જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવ્યો આદેશ
  • NOC નહી લેનાર સ્કુલ-કોલેજો સામે કાર્યવાહી કરાશે
    સુરત ફાયરવિભાગ

સુરત : શહેરમાં વારંવાર આગની ઘટના બનવાથી શહેરમાં આવેલ તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફટીનું NOC લેવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શહેરની તમામ સ્કૂલોએ ફાયર સેફ્ટીના સાધનો વસાવી NOC લેવી પડશે. આ પહેલા સુરત ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની સ્કૂલોને ફાયર સેફટીના અભાવે સીલ માર્યું હતું. સુરતમાં થોડા દિવસ અગાઉ જ સુરત શહેર ફાયર વિભાગ દ્વારા 10 જેટલી શાળાઓને ફાયર સેફટીના અભાવે સીલ કરી હતી. તે બાબતને ધ્યાનમાં લઈને સુરત શિક્ષણ અધિકારી એચ.એચ.રાજ્યગુરુએ શહેરની તમામ શાળાઓને ફાયર સેફ્ટીની NOC લેવા માટે કહ્યું છે. જો જેતે સ્કૂલ-કોલેજોમાં ફાયર સેફ્ટી નહીં હોય તો તે સ્કૂલ-કોલેજોને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવશે અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

સુરત ફાયરવિભાગ

ફાયર સેફટીના સાધનો નહી હોય તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

કોરાનાનો સમયગાળો ચાલી રહ્યો છે. ત્યારે દસ મહિનાઓથી સ્કૂલ-કોલેજો બંધ છે. તે કારણે જ સુરત શહેરના શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ શાળા અને કોલેજોને જાણ કરવામાં આવ્યું છે કે તમારા સ્કૂલ-કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો બરોબર ચકાસીને અને જે કે સાધનનો અભાવ હોય તે ફાયરના સાધનો વસાવી લેવા માટે જાણ કરવામાં આવી છે અને જો ફાયર NOC લેવાની બાકી હોય તે લઈ લેવું. નહીંતર સ્કૂલ-કોલેજ સીલ મારવામાં આવશે અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details