સુરત:સરકારી તબીબો દ્વારા આજે(બુધવારે) સતત ત્રીજા દિવસે(Doctor Strike on third Day) અનોખી રીતે હડતાળ ઉપર ઉતર્યા છે. જોકે, સરકારને સદબુદ્ધિ માટે તબીબો દ્વારા (બુધવારે) કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં તબીબો અંગદાનની શપથ લીધા હતા. તે સાથે જ ઓર્ગન ડોનેશન જાગૃતિ અંગે કાર્યક્રમ પણ યોજાયો હતો. રાજ્યમાં સતત બે દિવસથી સરકારી તબીબો તેમની માંગણીઓને(Doctors Demands) લઈને હડતાળ ઉપર ઉતર્યા હતા. ત્યારે આ તબીબો દ્વારા આજે સરકારની સદબુદ્ધિ માટે સત્યનારાયણ કથાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત ડોક્ટર્સે કથામાં અગદાનની શપથ લીધી અને સાથે સાથે ઓર્ગન ડોનેશન જાગૃતિ અંગે કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જો ડોક્ટર્સની માંગણીઓ પુરી નહી થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તબીબોની ચીમકી આપી હતી.
Surat Doctors Strike: સરકારને સદબુદ્ધિ આવે તે માટે સુરતના ડોક્ટર્સે કરી સત્યનારાયણની કથા - કેન્દ્ર સરકારની MPAના મુદ્દાઓ
સુરતના તબીબોએ હડતાળના આ ત્રીજા દિવસે(Surat Doctors Strike) સરકારને સદબુદ્ધિ આવે તે માટે સતનારાયનની કથા કરી હતી. આ કથાના માધ્યમથી તબીબોએ સરકાર તેમનો અવાજ સાંભળે તેવી પ્રાર્થના કરી હતી.
કથામાં બધા પોઝિટિવ વિચારો સાથે જોડાયા - સુરત નવી સિવિલ હોસ્પિટલના અધ્યાપક ડો.પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, આજે(બુધવારે) GMTA ગવર્મેન્ટમેડિકલ ટીચર્સ એસોસિએશન(Government Medical Teachers Association)તથા બધા જ ડોક્ટર તરફથી એક જ પ્રસ્તાવ(proposal from the doctor) છે કે, આજે(બુધવારે) અમે સત્યનારાયણ ભગવાનની કથાૉનું આયોજન કર્યું હતું. આ કથા પાછળનું એક જ હેતુ હતો કે, બધા સાથે સારું થાય અને એવી જ ડોક્ટર્સની માંગણીઓ છે. તબાબોની બચેલી માંગણાઓ પર સરકાર વિચારી રહી છે. આ એજ ડૉક્ટરછે જેમણે કોવિડ-19માં આટલી બધી કામગીરી કરી છે. સુરતના 212 ડોક્ટરો સાથે મેડિકલ ડોક્ટરોની ટીમ આ દિવસે તકલીફ જોયા વગર છોકરાઓને દૂર મૂકીને પોતાની ફરજ ઉપર હતા. સરકારે તેમના માટે આટલું તો વિચારવું જોઈએ. આ તેમનો હક છે. આના માટે સરકારને વિનંતી છે. એની સાથે સત્યનારાયણની કથામાં(Satyanarayan katha) બધા જોડાયા પણ છે. પોઝિટિવ વિચારો સાથે અમારી હડતાળ ચાલી રહી છે.
આ પણ વાંચો:Doctors strike in Jamnagar: ડોક્ટર્સ પડતર માંગણીઓને ન્યાય ન મળતા હાલ કામગીરી રખાઈ મોકૂફ
ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, સમસ્યાઓનો છે તેનો અંત લાવે -સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.ઓમકાર ચૌધરીએ કહ્યું હતું કે હડતાળને લઈને ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં કેન્દ્ર સરકારની MPAના મુદ્દાઓ(Issues of Central Government MPA) પણ છે. આ કથા કરવાનું આયોજન રાખવામાં આવ્યું હતું કેમકે, બધી જગ્યાએથી જ્યારે વ્યક્તિ હારી જાય ત્યારે ભગવાનનો સહારો લેવો પડતો હોય છે. જેથી આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, આજે જે તોબીબોની સમસ્યાઓ છે જેનો અંત આવે. પરંતુ આમા અમે કોઈનો વિરોધ કરતા નથી. અમે આખરે ઈશ્વરનો સહારો લીઈ આ કથા કરી રહ્યા હતી.