ગુજરાત

gujarat

ETV Bharat / city

Maharashtra crisis : છાનેછપને સુરત એરપોર્ટના પાછલા દરવાજેથી દિલ્હીથી આવેલા ધારાસભ્યને લઈ ગયા, કોણ હતાં?

મહારાષ્ટ્રના રાજકારણની ધમાધમનું (Maharashtra crisis) સાક્ષી ગુજરાતનું સુરત બન્યું છે. આ મુદ્દે થઇ રહેલી વિવિધ ગતિવિધિઓમાં એક જુદું દ્રશ્ય એવું પણ જોવા મળ્યું હતું. સુરત એરપોર્ટના (Surat Airport ) પાછલા દરવાજેથી એક ધારાસભ્યને પ્રાઇવેટ ગાડીમાં લઈ (MLA taken through the back door of Surat Airport) જવામાં આવ્યાં હતાં.

By

Published : Jun 21, 2022, 7:44 PM IST

Maharashtra crisis : છાનેછપને સુરત એરપોર્ટના પાછલા દરવાજેથી દિલ્હીથી આવેલા ધારાસભ્યને લઈ ગયા, કોણ હતાં?
Maharashtra crisis : છાનેછપને સુરત એરપોર્ટના પાછલા દરવાજેથી દિલ્હીથી આવેલા ધારાસભ્યને લઈ ગયા, કોણ હતાં?

સુરત: મહારાષ્ટ્રનું રાજકારણ (Maharashtra crisis)ગરમાયું છે. વિધાન પરિષદની ચુંટણીમાં મતદાન બાદ ગઈકાલ સાંજથી જ શિવસેનાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા હતા..ત્યારે આ તમામ ધારાસભ્યોએ સુરતની એક હોટેલમાં ડેરો નાખ્યો છે. સૂત્રોની માહિતી અનુસાર દિલ્હીથી સુરત વધુ 7 ધારાસભ્ય આવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સુરત એરપોર્ટ (Maharashtra crisis) ઉપર પાછલા દરવાજેથી એક ધારાસભ્યને પ્રાઇવેટ ગાડીમાં લઈ જવામાં આવ્યાં હતાં.દિલ્હીથી આવેલા શિવસેનાના ધારાસભ્યને પાછલે દરવાજેથી લઈ જવામાં (MLA taken through the back door of Surat Airport) આવ્યાં છે.

પાછલા દરવાજેથી એક ધારાસભ્યને પ્રાઇવેટ ગાડીમાં લઈ જવામાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ ઉદ્દવ સરકાર સરકી : અમદાવાદમાં રાજનિતીનો દાવ ખેલાવાની સંભાવના

મહારાષ્ટ્રના ઘટનાક્રમની પ્રાથમિક માહિતી- રાજ્યમાં મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi)ની સરકાર બનાવવામાં સંજય રાઉતે મહત્વની ભૂમિકા ભજવી અને એકનાથ શિંદેને ઢાંકી દેવામાં આવ્યા હોવાની ચર્ચા છે. એવું લાગતું હતું કે, સંજય રાઉતને શિવસેના તરફથી કોઈપણ પ્રકારની વાતચીત કરવાની પહેલ કરવામાં આવી હતી. શરદ પવાર સાથેની ચર્ચા હોય કે કોંગ્રેસ સાથેની વાતચીત હોય, એવું લાગે છે કે સંજય રાઉત નો હાથ ઉપર છે. તે જ સમયે, રાઉત કેન્દ્રમાં સાંસદ હોવા છતાં, રાજ્યમાં તમામ બાબતોમાં પ્રતિક્રિયા આપનારા પ્રથમ હતા. આજે પણ તેઓ એ જ પ્રવક્તા હોવાથી મીડિયામાં રાઉતના શબ્દો પણ પ્રમાણભૂત ગણાય છે. આનાથી એકનાથ શિંદે ચર્ચા અને વ્યૂહાત્મક સંવાદ માટે સાઇડટ્રેક થયાનું ચિત્ર ઊભું કરે છે. એકનાથ શિંદેના મનમાં પણ આ જ દુઃખ હોવાનું માનવામાં આવે છે.જેને લઇને આજનો ઘટનાક્રમ (Maharashtra crisis)સર્જાયો છે.

આ પણ વાંચોઃ દાઝ્યા પર ડામ, શિવસેનાના ધારાસભ્યોને મળવા પહોંચ્યા ભાજપ MLA

હજુ સાંજ સુધીમાં મુંબઇથી શિવસેનાના બે ધારાસભ્ય નેતા સુરત આવીને હોટેલમાં રોકાયેલા ધારાસભ્યોને મળીને પરત (Maharashtra crisis)જવા નીકળી ગયાં છે. મહારાષ્ટ્રના રાજકારણની મોટી ઘટનામાં હજુ પણ નવા નવા સમાચાર સામે આવી રહ્યાં છે તે તમામ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યાં છીએ.

ABOUT THE AUTHOR

...view details