ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસને લીધે સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો - ફિનાઈલ

સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં જ સફાઈ કામદારે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પીધા બાદ તે યુવકને અઠવા ઝોનના પાર્કિંગમાં જ ઊલટી શરૂ થઈ ગઈ હતી. અહીં કામ કરતા સાથી મિત્રો દોડી આવ્યા હતા અને તરત 108 એમ્બુલન્સને જાણ કરતા તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સફાઈ કામદારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત માનસિક ત્રાસના કારણે આપઘાત કરવાનો આક્ષેપો કર્યા છે.

સુરતમાં ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસથી સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો
સુરતમાં ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસથી સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો

By

Published : Jan 15, 2021, 9:08 AM IST

  • સુરતમાં સફાઈ કામદારે કર્યો આપઘાતનો પ્રયાસ
  • મ્યુનિ. કચેરી ખાતે જ કામદારે ફિનાઈલ પીધું
  • ઉચ્ચ અધિકારી ત્રાસ આપતા હોવાનો કામદારનો આક્ષેપ
    સુરતમાં ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસથી સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતઃ સફાઈ કામદારનું કહેવું છે કે, મારી વાતને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નિરાકરણ ન આવતા ફિનાઈલ પીધું છે. સફાઈ કામદાર પાસેથી એક લેટર પણ મળી આવ્યો છે. ફિનાઈલ પીનાર વ્યક્તિ પાસેથી એક લેટર પણ મળી આવ્યું હતું. તે લેટરમાં કર્મચારી યુનિયન તરફથી પાલિકા અધિકારીઓને કરવામાં આવેલી રજૂઆતોનું કાગળ પણ મળી આવ્યું હતું. આ કાગળ પર એમ લખવામાં આવ્યું હતું કે, અઠવા ઝોન ગવિયરના અધિકારી VBDCના દિલીપ પટેલ સફાઈ કામદારોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ખેતીવાડી તથા ઘરનું કામ તથા અન્ય કામ આપવામાં ન આવે તો તેઓ દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.

સુરતમાં ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસથી સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો

સફાઈ કામદારનું ફિનાઈલ પીને આપઘાતમાં કોઈ તપાસ થશે કે?

સુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરીમાં જ સફાઈ કામદાર દ્વારા ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસથી કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. આપઘાત કરનાર વ્યક્તિ પાસેથી જે કાગડીયા મળ્યા છે તે કાગળને આધારે સુરત મ્યુનિસિપલ કમિશનર તપાસ કરશે કે તે હવે જોવાની વાત છે.

ABOUT THE AUTHOR

...view details