સુરત: શહેરમાં શુક્રવારે મોડિ સાંજે ગાંધીજીના પ્રપૌત્ર કનુભાઈ રામદાસ ગાંધીના પત્ની શિવા લક્ષ્મીબેનનું 94 વર્ષની વયે નિધન થયું હતું. તે સુરત શહેરના ભીમરાડ ગામે જીવનના છેલ્લાં 2 વર્ષથી રહેતા હતા. તેમની તબિયત ખરાબ થતાં તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
કનુભાઈના અવસાન બાદ ગત 2 વર્ષથી શિવા લક્ષ્મીબેનની સંભાળ સુરત ભીમરાડ ગામના લોકો કરી રહ્યા હતા. ગાંધીવાદી વિચારધારા ધરાવતા બળવંત પટેલે ગત 2 વર્ષથી પરિવારના સભ્યની જેમ તેમની કાળજી રાખી હતી. ડૉ.શિવાલક્ષમી ગાંધીની અંતિમ યાત્રા શુક્રવારે ભીમરાડથી ઉમરા સ્મશાન ભૂમિ લઈ જવાઇ હતી. જેમાં લોકડાઉનના કારણે ગણતરીના લોકો હાજર રહ્યાં હતા. ભળવંત પટેલ પોતાના પરિવારના સભ્ય સમજી અંતિમ વિધી કરાવી હતી.
સુરતમાં તેમણે શિવા લક્ષ્મી કનુભાઈ રામદાસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી જીવનભરની પૂંજી શિક્ષણ, આરોગ્ય, મહિલા, બાળ કલ્યાણ તથા ગાંધી વિચારના પ્રસાર પ્રચાર માટે સમર્પિત કરી દીધી હતી.