- કોંગ્રેસના નેતાઓના વલણના કારણે કાર્યકર્તાઓમાં રોષ
- દિનેશભાઈ કાછડીયાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું
- આપની જીતને લઇને પાર્ટીમાં જોડાયાની ચર્ચા લોકોના કામ કરવા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
સુરતઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓના વલણના કારણે અનેક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપ પાર્ટીમાં જોડાયા છે. દિનેશ કાછડીયાને કોંગ્રેસે ઉમેદવારી આપી હતી, પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં હારી ગયાં હતાં અને ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવ્યાં હતાં.