- સરકારના રાહત પેકેજથી ખેડૂતો થયા નારાજ
- માત્ર ઓલપાડ તાલુકામાં જ 200 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો
- અધિકારીઓ સર્વની કામગીરી સાચી કરે તેવી કરી માંગ
સુરત:સમગ્ર રાજ્યમાં તૌકતે નામના વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતના વાગ્યા ઘા પર મલમ લગાડવા સરકારે પેકેજ જાહેર કર્યું છે પણ સરકારના આ પેકેજને લઈને ઓલપાડ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, માત્ર ઓલપાડ તાલુકામાં જ 200 કરોડનું નુકસાન થયું છે. ત્યારે સરકારે જાહેર કરેલા આ પેકેજ યોગ્ય નથી.
આ પણ વાંચો: ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા પછી રાહત કામગીરી અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ