ગુજરાત

gujarat

By

Published : May 3, 2021, 8:11 PM IST

ETV Bharat / city

હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

કોરોનાની કપરી પરિસ્થિતિને કારણે દર્દીઓ માટે ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે. ત્યારે, હોમ ક્વૉરૅન્ટીન થયેલા લોકો માટે ઓક્સિજન પ્રોડ્યુસ કરતું ઓટોમેટીક મશીન વરદાન સમાન સાબિત થઈ રહ્યું છે. આથી, મશીનની કાળા બજારી પણ વધી છે.

હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન
હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

  • પ્યોર ઓક્સિજન બનાવતા ઓટોમેટીક મશીનની ડિમાન્ડ વધી
  • હોમ કોરેન્ટાઈન થયેલા લોકો માટે મશીન અસરકારક સાબિત થઈ રહ્યું છે
  • આ મશીનમાં ઓક્સિજન ઉત્પાદન થવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે

સુરત: ઓક્સિજન સિલિન્ડરની અછત વચ્ચે હોમ ક્વૉરૅન્ટીન થયેલા લોકો માટે ઓક્સિજન પ્રોડ્યુસ કરતું ઓટોમેટીક મશીન વરદાન સમાન સાબિત થઈ રહ્યું છે. આ ઓટોમેટિક મશીન આજુબાજુના વાતાવરણમાં રહેલા વાયુમાંથી 95 ટકા પ્યોર ઓક્સિજન બનાવતું હોવાને કારણે તેની ડિમાન્ડ 100 ઘણી વધી છે. ડિમાન્ડ વધારે હોવાના કારણે કાળા બજારી પણ વધી છે.

હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

આ પણ વાંચો:કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના 24 દર્દીના મોત

મશીન વાયુ ગ્રહણ કરીને તેમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવે છે

કોરોનાના વધતા સંક્રમણને પગલે જ્યારે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. ત્યારે, મોટાભાગના લોકો હોમ ક્વૉરૅન્ટીન થઈ રહ્યા છે. જોકે, ઓક્સિજન માટે વલખાં મારતા પરિવારના સભ્યોએ સિલિન્ડર શોધવા તથા રિફિલ કરાવવા માટે બજારમાં અનેક જગ્યાએ ફરવું પડે છે. તેવા સમયે, આસપાસના વાતાવરણમાંથી વાયુનો ઉપયોગ કરીને પ્યોર ઓક્સિજન બનાવતા ઓટોમેટીક મશીનની ડિમાન્ડ વધી છે. વેપારીઓના મતે હોમ કોરેન્ટાઈન થયેલા લોકો કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હોય તેમને માટે આ મશીન અસરકારક સાબિત થઈ રહ્યું છે. આ મશીન વાતાવરણમાંથી જ વાયુ ગ્રહણ કરીને તેમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવે છે. જેથી, ઓક્સિજન ઉત્પાદન થવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે જે તેની મુખ્ય બાબત છે. જેને કારણે, તેની માંગમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ, બીજી તરફ તેની કાળા બજારી પણ જોવા મળી રહી છે.

હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

હવામાં 78 ટકા નાઇટ્રોજન અને 21 ટકા ઓક્સિજન હોય છે

આ અંગે વેપારી સુમિત ગર્ગે જણાવ્યું હતું કે, મશીનમાં ઓક્સિજન કોન્સનસ્ટ્રેટર હવાથી ઓક્સિજન ખેંચે છે. હવામાં 78 ટકા નાઇટ્રોજન અને 21 ટકા ઓક્સિજન હોય છે. જેમાંથી, નાઇટ્રોજનને બહાર કાઢીને ઓક્સિજન નાના નોઝલથી વહન કરે છે. જેથી, દર્દીને પ્યોર ઓક્સિજન મળે છે. ખાસ વાત એ છે કે, આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને ઉત્પન્ન થયેલો ઓક્સિજન 92થી 95 ટકા પ્યોર હોય છે.

આ પણ વાંચો:દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ, અનેક દર્દીઓની હાલત નાજુક

જ્યારે 9-10 લિટરના 1.25 લાખથી 1.75 લાખ હોય છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓ કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું છે તેમને માટે અસરકારક છે. કારણ કે તે સતત કામ કરે છે . આ મશીન ભારતમાં પણ બને છે પરંતુ સપ્લાય ઓછો છે. યુએસ, જર્મની, સિંગાપોર, ચાઈનાથી ઈમ્પોર્ટ થાય છે. 4થી 6 લિટર વેરિયન્ટનો ભાવ આશરે રૂપિયા 50,000 હોય છે. જ્યારે, 9-10 લિટરના 1.25 લાખથી 1.75 લાખ હોય છે. જેમનું, ઓક્સિજન લેવલ 80-85થી વધુ અને 94થી નીચે છે એવા લોકો માટે આ મશીન જીવાદોરી સાબિત થઈ રહી છે. જેમનું ઓક્સિજન લેવલ 80થી નીચે જાય છે તેમને માટે સિલિન્ડરની જરૂર પડે છે.

મોદી સરકાર દ્વારા 1 લાખ મશીન ઈમ્પોર્ટ કરવાની વાત કરાઈ

કાળાબજારી અંગે સુમિત ગર્ગે જણાવ્યું હતું કે, અત્યારના સમયે ડિમાન્ડ છે અને કેટલાક અસામાજિક તત્વો કાળા બજારી કરી રહ્યા છે. જે મશીનની કિંમત 50 હજાર છે તે મશીન લોકો 1 લાખથી 2 લાખ સુધીમાં ખરીદી રહ્યા છે. હાલમાં, મોદી સરકાર દ્વારા 1 લાખ મશીન ઈમ્પોર્ટ કરવાની વાત કરાઈ હતી. આ ઉપરાંત, ડિમાન્ડ વધુ છે પણ પુરી થઈ રહી નથી. જેથી બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે. ચિટિંગની ઘટનાઓ પણ સામે આવે છે. ઓછા ઇફેકટિવ મશીન પણ હોય છે જે કોરોના દર્દીઓને માટે ઉપયોગી નથી. તેમનું ઓક્સિજન પ્યોરિટી લેવલ 85 જેટલું હોવા છતાં કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે. લોકોને તેના વિશે જ્ઞાન ન હોવાને કારણે ખરીદી રહ્યા છે. આ મશીન હોમ કોરેન્ટાઈન લોકો માટે ખૂબ જ અસરકારક છે. ડોક્ટરની માહિતીના આધાર પર જો આ મશીનનો ઉપયોગ ઘરે જ દર્દીને કરવામાં આવે તો ઓક્સિજનની કમી થશે નહીં. કારણ કે, આ મશીન વાતાવરણ અને હવામાંથી ઓક્સિજન બનાવે છે અને પ્રક્રિયા સતત બનતી રહેશે. આ મશીનથી સિલિન્ડરની મુશ્કેલી રહેશે નહીં.

આ પણ વાંચો:દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રની જાટકણી કાઢી, કેન્દ્રને ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત કરવા જણાવ્યું

ડિમાન્ડ 5-10 ટકા પણ ન હતી, હાલ 100 ઘણી વધુ ડિમાન્ડ

ડિમાન્ડ અંગે તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી, ડિમાન્ડ 5-10 ટકા પણ ન હતી. હાલ 100 ઘણી વધુ ડિમાન્ડ થઈ રહી છે. સરકારે વ્યક્તિગત ઉપયોગ માટે આ મશીન કોઈ પણ દેશમાંથી ઈમ્પોર્ટ કરી શકાય છે. જેના પર કોઈ ઈમ્પોર્ટ ડ્યુટી નથી.

ABOUT THE AUTHOR

...view details