ગુજરાત

gujarat

ETV Bharat / city

મહારાષ્ટ્રથી સુરત સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓ માટે સુરતથી આઈસોલેશન કોચ તૈયાર કરી મોકલાયો - surat news

ગુજરાતને અડીને આવેલા નંદુરબાર, ધુલિયા અને જલગાંવમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસ વધતા બેડ અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે આ ત્રણ જિલ્લાના દર્દીઓ સુરત સારવાર માટે આવી રહ્યા હતા અને ત્યાં તેઓને બેડની અછતના કારણે ખૂબ જ હાલાકી થઈ રહી હતી. આવી સ્થિતિમાં રેલવે મંત્રાલય દ્વારા નંદુરબાર જિલ્લામાં કોવિડ એક્સપ્રેસ ટ્રેન મોકલવામાં આવી હતી. જે સુવિધા લોકોને હોસ્પિટલમાં મળે છે તે જ સુવિધા તેમાં મળશે. જેથી નંદુરબારમાં બેડની અછતની સમસ્યાને દુર કરવા સરકાર દ્વારા પ્રયાસ કરાયા છે.

સુરતથી આઈસોલેશન કોચ તૈયાર કરી મોકલાયો
સુરતથી આઈસોલેશન કોચ તૈયાર કરી મોકલાયો

By

Published : Apr 19, 2021, 4:50 PM IST

Updated : Apr 19, 2021, 8:16 PM IST

  • બેડની અછતની સમસ્યાને દુર કરવા સરકાર દ્વારા કરાયો પ્રયાસ
  • નંદુરબાર જિલ્લામાં કોવિડ એક્સપ્રેસ ટ્રેન મોકલવામાં આવી
  • દર્દીઓની સારવાર ટ્રેનમાં કરવામાં આવશે

સુરત: શહેરમાં મહારાષ્ટ્રને અડીને આવેલા નંદુરબાર, ધૂળિયા અને જલગાંવના આશરે 1,500થી પણ વધુ લોકો સારવાર મેળવી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ આ ત્રણ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસ અને ત્યાં સારવાર માટે બેડની ભારે અછત છે. લોકો મજબૂરીમાં સુરત આવીને સારવાર મેળવી રહ્યા હતા અને આ વચ્ચે સુરતમાં પણ જે રીતે સતત કોરોના કેસો વધી રહ્યા હતા અહીં પણ બેડની અછત સર્જાઇ હતી ત્યારે નંદુરબારના સાંસદ દ્વારા નંદુરબારમાં કોવિડ એક્સપ્રેસ ટ્રેનની માંગણી કરવામાં આવી હતી. જેને માન્ય રાખી રેલવે મંત્રાલય દ્વારા આ સુવિધા ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સુરતથી આઈસોલેશન કોચ તૈયાર કરી મોકલાયો

40થી વધુ દર્દીઓ રોજ સુરત આવી રહ્યા છે

નંદુરબારના હોસ્પિટલોમાં બેડ ન મળવાના કારણે કોરોના દર્દીઓ સુરત આવી રહ્યા છે. રોજે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી 40થી વધુ દર્દીઓ રોજ સુરત આવી રહ્યા છે. નંદુરબારના કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે સુરત આવું પડશે નહીં. આ માટે રેલવે સુરત કોચ ડેપોમાં તૈયાર 20 કોચવાળા એક આઇસોલેશન ટ્રેનને નંદુરબાર સ્ટેશન પર ઊભી કરી છે. એક રેકમાં 400 બેડ સાથે ઓક્સિજનની સુવિધા આપવામાં આવી છે. દરેક કોચમાં કુલર લગાડવામાં આવ્યા છે. જેથી તાપ અને હિટના કારણે દર્દીઓ હેરાન ન થાય એટલું જ નહીં કોચની ઉપર ધુળ પણ પાથરવામાં આવી છે.

31 કોચની વિશેષ રેલવે નંદુરબાર રેલ્વે સ્ટેશન ઉપર આવી

ગુજરાત રાજ્ય અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કોરોના પોઝિટિવ પેશન્ટ વધી જતા સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગાના અધિકારીઓ સાથે વાત કરીને નંદુરબાર જિલ્લાના કોરોના પોઝિટિવ પેશન્ટના સારવાર માટે 31 કોચની વિશેષ રેલવે નંદુરબાર રેલ્વે સ્ટેશન ઉપર આવી છે. નંદુરબાર જિલ્લા સહિત આ ટ્રેન ગુજરાત રાજ્યના તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકાના પેશન્ટ માટે ઉપયોગ થશે. ટોટલ 400 પેશન્ટથી વધારે સારવાર કરવાની રેલવેની ક્ષમતા છે.

આ પણ વાંચો:રેલવે આઇસોલેશન કોચ કોઈ કામમાં આવ્યા નહીં !

ઉનાળામાં ગરમીના કારણે પ્લેટફોર્મ ત્રણ ઉપર મંડપ અને કુલરની વ્યવસ્થા

ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. રેલવે વિભાગ અને નંદુરબાર આરોગ્ય વિભાગની ટીમ ખાસ ધ્યાન રાખી રહી છે. ઉનાળામાં ગરમીના કારણે પ્લેટફોર્મ ત્રણ ઉપર મંડપ અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.

470 પેશન્ટની કોરોનામાં મોત

નંદુરબાર જિલ્લામાં ટોટલ 8 હજાર 88 કોરોના પોઝિટિવ પેશન્ટ છે. 470 પેશન્ટની કોરોનામાં મોત થઈ છે. એક દિવસમાં નંદુરબાર જિલ્લામાં ટોટલ 700થી 800 પેશન્ટ પોઝિટિવ આવી રહ્યા છે. નંદુરબારના સરકારી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા છે. એના માટે વિશેષ રેલવેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો:રાજધાની દિલ્હીમાં કોવિડ રેલવે કોચ કાર્યરત થયાં, 10 દર્દીની થઈ સારવાર

પ્લેટફોર્મ ક્રમાંક-3 પ્રતિબંધિત ક્ષેત્ર

નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કોરોના એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ ક્રમાંક-3 પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે. અન્ય પ્રવાસીઓને પ્રવેશની મનાઈ કરવામાં આવી છે. નંદુરબારમાં કોરોના પોઝિટિવ પેશન્ટ માટે કોરોના એક્સપ્રેસ રેલવે આવતા સમાધાન વ્યક્ત કરવામાં આવ્યો છે.

એક બોગીમાં 16 દર્દીઓની સારવાર

નંદુરબાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક-૩ ઉપર રેલવે ઉભી કરી છે. સામાન્ય કોરોના પેશન્ટ ઉપર રેલવેમાં સારવાર કરવામાં આવશે. એક બોગીમાં ટોટલ 16થી 20 પેશન્ટની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતા ગૃહ, ઓક્સિજન, કુલર, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા

સાંસદ ડૉ. હિના ગાવિતે જણાવ્યું હતું કે, નંદુરબાર જિલ્લા માટે કેન્દ્રીય રેલવે મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડના દર્દીઓ માટે એક ખાસ આઇસોલેશન ટ્રેન નંદુરબાર ખાતે મોકલી છે. હાલ આ ટ્રેનમાં સાડા ત્રણસો જેટલા દર્દીઓની સારવાર આપી શકે છે. જો દર્દીઓની સંખ્યા વધે તો આ ટ્રેનમાં 600 જેટલા દર્દીઓની સારવાર કરી શકાશે. દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ દર્દીની તબીયત અચાનક લથડે તો તેને ઓક્સિજન આપી શકાય. આ ટ્રેનમાં મેડિકલ સ્ટાફ સહિત ડોક્ટરોની ટીમ તૈનાત રહેશે.

અહીં દર્દીઓને બેડ ઉપલબ્ધ થતો નથી

નંદુરબાર જિલ્લામાં કોવિડ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અહીં દર્દીઓને બેડ ઉપલબ્ધ થતો નથી. જેથી અમે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી કે, અમને આ સ્પેશિયલ ટ્રેન આપવામાં આવે. પ્રથમ લોકડાઉન દરમિયાન લોકોની સુવિધા માટે અને માંગણીને જોઈ ટ્રેનને મોડીફાઇ કોવિડ ટ્રેન બનાવવામાં આવી હતી. જેથી અમે આ ટ્રેનની માંગણી નંદુરબાર માટે કરી છે. કારણ કે, અહીંના દર્દીઓને બેડ ઉપલબ્ધ થતું નથી. જેને માઇલ્ડ સિમ્ટમ્સ છે, તેઓ ટ્રેનમાં આવીને સારવાર મેળવી શકે છે. જેટલા દર્દીઓ દાખલ થશે તે પ્રમાણે ડોક્ટર અને સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

Last Updated : Apr 19, 2021, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details