ગુજરાત

gujarat

ETV Bharat / city

Coonoor Helicopter Crash: CDS બિપિન રાવતના નિધનથી દેશ હતપ્રભ, સુરતમાં લોકોએ મુંડન કરાવ્યું

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારના ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ (Coonoor Helicopter Crash) થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના મોત (coonoor helicopter crash death) થયા હતા, જ્યારે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ (coonoor helicopter crash survivor)ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા હતા અને અત્યારે તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, ત્યારે મૃતકોના સન્માનમાં સુરતના વીર સાવરકર સર્કલ ખાતે લોકોએ પૂર્ણેશ મોદી અને સી.આર. પાટિલની હાજરીમાં મુંડુન કરાવ્યું હતું.

By

Published : Dec 11, 2021, 7:25 PM IST

Coonoor Helicopter Crash: CDS બિપિન રાવતના નિધનથી દેશ હતપ્રભ, સુરતમાં લોકોએ મુંડન કરાવ્યું
Coonoor Helicopter Crash: CDS બિપિન રાવતના નિધનથી દેશ હતપ્રભ, સુરતમાં લોકોએ મુંડન કરાવ્યું

  • પાલનપુર પાટિયાના વીર સાવરકર સર્કલ ખાતે કાર્યક્રમ યોજાયો
  • પૂર્ણેશ મોદીની હાજરીમાં મુંડન કરાવ્યું
  • સી.આર. પાટિલ અને નિવૃત સૈનિકો પણ હાજર રહ્યા

સુરત: CDS બિપિન રાવતના સન્માનમાં લોકોએ મુંડન કરાવ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થતા બિપિન રાવત, તેમના પત્ની સહિત અધિકારીઓ શહીદ થયા હતા. રાજ્યના પ્રધાન પૂર્ણેશ મોદીની હાજરીમાં મુંડન કરાવ્યું છે. સુરતના પાલનપુર પાટિયાના વીર સાવરકર સર્કલ (veer savarkar circle surat) ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તમિલનાડુના કુન્નૂરના જંગલો (coonoor forest tamilnadu)માં બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

વીર સાવરકર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલાચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (first cds of india general bipin rawat), તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના નિધન થયા હતા. આ દુર્ઘટનાથી દેશભરમાં શોકની કાલિમા છવાઈ ગઇ હતી. સુરતમાં પાલનપુર પાટિયા (surat palanpur patia) પાસે વીર સાવરકર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યાં પ્રધાન પૂર્ણશ મોદી, સી.આર. પાટિલ અને નિવૃત સૈનિકો હાજર રહ્યા હતા.

હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મોત થયા હતા

તામિલનાડુના કુન્નૂરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ (helicopter crash in coonoor) થયું હતું. આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ હેલિકોપ્ટરમાં જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ, નાયક ગુરસેવક સિંઘ, નાયક જીતેન્દ્ર કુમાર, નાયક વિવેક કુમાર, લાંસ નાયક બી. સાઈ તેજા, સ્કવોડ્રન લીડર કુલદીપ સિંહ , જુનિયર વોરંટ ઓફિસર રાણા પ્રતાપ દાસ, જુનિયર વોરંટ ઓફિસર એ. પ્રદીપ, હવાલદાર સતપાલ અને પાઈલટ્સ સવાર હતા, જેમના આ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયા હતા.

પૂર્ણેશ મોદી, સી.આર. પાટીલ અને નિવૃત્ત સૈનિકો હાજર રહ્યા

હેલિકોપ્ટર ક્રેશમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત છે. ખૂબ જ પરાક્રમી અને ભારત માતાની સેવાનું એકમાત્ર ધ્યેય લઈને દેશને સમર્પિત થયેલા બિપિન રાવતનું નિધન થતા સમગ્ર દેશની અંદર શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર દેશ સ્તબ્દ થઈ ગયો હતો. દેશના વીર જવાનોને દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુરતમાં પાલનપુર પાટિયા પાસે વીર સાવરકર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યાં પ્રધાન પૂર્ણશ મોદી, સી.આર.પાટીલ અને નિવૃત સૈનિકો હાજર રહ્યા હતા.

ચાઈના-પાકિસ્તાનને મજબુત જવાબ આપ્યો

સી.આર.પાટિલે જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવત હંમેશા લોકોના દિલમાં અમર રહેશે. તેમના સમયની અંદર પાકિસ્તાન (india's action against pakistan) અને ચાઈના (india's action against china)ને મજબુત જવાબ આપ્યો હતો. સુરતમાં તમામ શહીદોને શ્રધાંજલિ અર્પણ (tribute paid to the martyrs in surat) કરવામાં આવી હતી. તમામ શહીદોના પરિવારજનોને આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવી પ્રાથના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જો થર્ડ વેવ આવે તો બાળકો સંક્રમિત થઈ શકે છે: ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટ

આ પણ વાંચો:Anti Corruption Bureau:સુરતમાં મહિલા PSI અને તેમના વતી લાંચ લેનાર એક વકીલને ACBની ટીમે ઝડપી પાડ્યા

ABOUT THE AUTHOR

...view details