ગુજરાત

gujarat

Congress workers joined BJP: સુરત કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અશોક જીરાવાલા સહીત અનેક કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો

By

Published : Apr 20, 2022, 7:21 PM IST

સુરતમાં યોજાયેલા "ફોગવા મહા અધિવેશન"માં(Fogwa General Convention Program ) પ્રમુખ અશોક જીરાવાલા સહિત 108 કાર્યકર્તાઓએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના(BJP state president CR Patil) હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એક બાજુ આપ આદમી પાર્ટીએ પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આ બાજુ પણ ભાજપે પોતાનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું છે.

Congress workers joined BJP: સુરત કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અશોક જીરાવાલા સહીત અનેક કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો
Congress workers joined BJP: સુરત કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અશોક જીરાવાલા સહીત અનેક કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો

સુરત: "ફોગવા મહા અધિવેશન"માં પ્રમુખ અશોક જીરાવાલા દ્વારા આયોજન(Fogwa General Convention Program) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંજય દેસાઈ, સૌજીભાઈ ધામેલિય, સંજય વિરાણી, સંજય મંગોકીયા, પ્રકાશભાઈ જસોલિયા, જયંતીભાઈ જોલવા, સહીતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં "ફોગવા મહા અધિવેશન"માં પ્રમુખ અશોક જીરાવાલા સહિત 108 કાર્યકર્તાઓએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના(BJP state president CR Patil) હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

સુરતમાં યોજાયેલા "ફોગવા મહા અધિવેશન"માં(Fogwa General Convention Program ) પ્રમુખ અશોક જીરાવાલા સહિત 108 કાર્યકર્તાઓએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના(BJP state president CR Patil) હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીનું વારંવાર ગુજરાત આગમન શું ચુંટણી વહેલી યોજાય તેવુ સુચવે છે?

ચૂંટણીને લઈને તૈયારીઓ -આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) આવી રહી છે ત્યારે તમામ રાજકીયો પક્ષો દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતમાં ફોગવા મહા અધિવેશન"માં પ્રમુખ અશોક જીરાવાલા સહિત 108 કાર્યકર્તાઓએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

આ પણ વાંચો:BJP Central Zone Meeting : PM Modiના દાહોદ પ્રવાસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાશેઃ પાટીલ

કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા -આ પેહલા થોડા દિવસ અગાઉ 400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શહેરના ભાજપ કાર્યાલય કમલમમાં(BJP office Kamalam) સી.આર.પાટીલ હસ્તે જ ભાજપનો કેશ ધારણ કર્યો હતો. તે સમય દરમિયાન શહેરના ખલાસી અને માછી સમાજના(Sailors and fishing society) લોકો મોટી સંખ્યામાં ભાજપના જોડ્યા હતા. એટલે કહી શકાય છે કે એક બાજુ આપ આદમી પાર્ટીએ પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આ બાજુ પણ ભાજપે પોતાનો પરચો(BJP political move ) બતાવવાનું શરૂ કરી દીધું છે.

ABOUT THE AUTHOR

...view details