ગુજરાત

gujarat

ETV Bharat / city

અંબાને બચાવી હવે દુર્ગાને પણ બચાવો, નવજાત બાળકીના ડાબા પગને શ્વાને ફાડી ખાધો - જલાલપોર પોલીસ

રાજકોટની નવજાત બાળકી અંબાની ઘટના હજી તાજી છે ત્યાં નવસારીની કૃષિ યુનિવર્સિટી સામેના ફાર્મમાંથી નવજાત બાળકી મળી આવી છે. બાળકીના ડાબા પગને શ્વાને ફાડી ખાધો હતો. જેથી બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અંબાને બચાવી હવે દુર્ગાને પણ બચાવો
અંબાને બચાવી હવે દુર્ગાને પણ બચાવો

By

Published : Mar 14, 2020, 10:57 PM IST

સુરત: નવસારીના જલાલપોરમાં આવેલી કૃષિ યુનિવર્સિટી નજીકથી બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને તરછોડી દીધા બાદ શ્વાને બાળકીના ડાબા પગ સહિતના અંગો ફાડી ખાધા હતાં.

નવસારીના સમીર ગાંધી ચીકુ અને કેરીના ફાર્મમાંથી નવજાત બાળકી મળતા ચકચાર મચી ગઈ હતી. ત્યજી દેવાયેલી બાળકીને પ્રથમ ખેતરમાં કામ કરનારા અશોક દન્તાણીએ જોઇ હતી. બાળકીના ડાબા પગને શ્વાને ફાડી ખાધો હતો.

અશોકે બાળકીને કુતરાઓથી છોડાવી ગંભીર અવસ્થામાં 108 એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જલાલપોર પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details