- ગુજરાતમાં ઘણા કિશોર- કિશોરીઓએ કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવ્યાં
- કોરોનામાં માતા-પિતાની છત્ર-છાયા ગુમાવનારા કિશોર-કિશોરીઓને તેમના ભરણપોષણની ચિંતા
- આ પરિસ્થિતીમાંથી કઈ રીતે બહાર આવે તે અંગે અસમંજસ
સુરત : ગુજરાતમાં ઘણા કિશોર- કિશોરીઓએ કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. સુરતમાં પણ એવા કિશોર-કિશોરીઓ છે. જેમને તેમના ભરણપોષણની ચિંતા થઈ રહી છે. માતા-પિતાની છત્ર-છાયા ગુમવાવવાને કારણે તેમની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટેના પણ અનેક સવાલો ઉભા થયા છે. ઈમોશનલ સપોર્ટ સાથે તેમણે આર્થિક સપોર્ટ પણ ગુમાવ્યો છે. જેને લઇને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવે તે સમજવામાં તમને સમય લાગી રહ્યો છે. જોકે કોરોનાને કારણે માતા અને પિતા બન્ને ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાઈ છે, ત્યારે સહાય માટે ધારવા કરતા હાલ ઓછી અરજીઓ આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ સ્કૂલ સંચાલક મંડળે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની 2 વર્ષની ફી માફ કરી
ભરણપોષણની જવાબદારી ઉઠાવીશ : રજત રાદડીયા