- દાદરા નગર હવેલીમાં વેક્સિન માટે ઉત્સાહ
- પ્રથમ દિવસે 1,000 યુવાનોને ડોઝ અપાયા
- 3 સ્થળો પર વેક્સિનેશન શરૂ કરાયું
- વેક્સિન પહેલા કોવિડ ટેસ્ટ ફરજિયાત
સેલવાસ:દેશમાં કોરોનાની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે અને ત્રીજી લહેર હજુ વધુ જીવલેણ હોવાનું તબીબોનું માનવું છે, ત્યારે દેશના યુવાનો આ મહામારી સામે રક્ષણ મેળવી શકે તે માટે 18થી 44 વર્ષની વયના લોકોને પણ વેક્સિન ડોઝ મૂકવા માટે તૈયારી આરંભી દીધી છે. દાદરા નગર હવેલીમાં ગુરુવારે પ્રથમ દિવસે 3 સ્થળો પર 1,000 યુવાનોએ ઉત્સાહભેર વેક્સિનેશન ડોઝ લીધા હતાં.
આ પણ વાંચો: અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું
વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ
દાદરા નગર હવેલીમાં કોરોના સામે રક્ષણ મેળવવા સૌપ્રથમ હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સ, 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જે સાથે જ ગુરુવારથી 18 વર્ષથી 44 વર્ષની વચ્ચેના યુવાનો માટે પણ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કર્યો છે. દાદરા નગર હવેલીમાં સેલવાસ ઝંડાચોક સ્કૂલ, નરોલી હાઈસ્કૂલ, ખાનવેલ હાઈસ્કૂલ એમ 3 સ્થળો પર આ સુવિધા ઉભી કરી છે. જેમાં પ્રથમ દિવસે જ યુવાનો ઉત્સાહભેર વેક્સિન મૂકાવવા આવ્યાં હતાં.