ગુજરાત

gujarat

By

Published : Mar 8, 2020, 1:10 PM IST

Updated : Mar 8, 2020, 1:22 PM IST

ETV Bharat / city

રિલાયન્સના ફાઉન્ડેશનના સહયોગથી સેલવાસમાં બની આધુનિક આંગણવાડી

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પ્રશાસને ઔદ્યોગિક એકમોના સહકારથી શિક્ષણ ક્ષેત્રે સુવિધાયુક્ત બાળઘર બનાવ્યા છે. નંદઘરના નામે બનાવેલી આ આંગણવાડીમાં 26 જેટલી આંગણવાડી રિલાયન્સ ફાઉન્ડેશનના CSR ફંડમાંથી બની છે. જેમાં AC, સ્માર્ટ્સ ટીવી સહિતની સુવિધાઓથી પુરી પાડવામાં આવી છે.

Etv bharat gujarat dadra and nagar haveli reliance foundation nandhgha
રિલાયન્સના ફાઉન્ડેશનના સહયોગથી સેલવાસમાં બની આધુનિક આંગણવાડી

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં કુલ 300 જેટલી આંગણવાડીઓને નવું રૂપ અપાયું છે. બાળકો આંગણવાડીમાં ઉત્સાહભેર આવે અને શિક્ષણનું પહેલું પગથિયું નિઃસંકોચ બની રમતરમતા ચડે, તે માટે પ્રશાસને તેને અનેક સુવિધાથી સજ્જ કરી છે. આ માટે પ્રશાસન સાથે વિવિધ ઉદ્યોગકારોએ પોતાના CSR ફંડની ફાળવણી કરી છે. આવા જ 26 નંદઘર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યા છે.

રિલાયન્સના ફાઉન્ડેશનના સહયોગથી સેલવાસમાં બની આધુનિક આંગણવાડી

રિલાયન્સ કોર્પોરેટ સર્વિસ હેઠળ બનાવેલા આ તમામ નંદઘરમાં બાળકોને રમવા માટે સામાન્ય રામકડાથી માંડીને એજ્યુકેશનલ ટોય ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આંગણવાડીમાં બાળકો માટે એર કંડીશનર, સ્માર્ટ ટીવી, પીવા માટે ROનું પાણી સહિત રમવા માટે ગાર્ડન અને હિંચકા સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

નંધઘરમાં અક્ષયપાત્ર યોજના હેઠળ મધ્યાહન ભોજન આપવામાં આવશે. આ તમામ આંગણવાડીઓ પ્રશાસન પોતાના હસ્તક ચલાવશે. અને તેનું મેઈન્ટેનન્સ કરશે. ત્યારે આ અંગે પણ જરૂર પડ્યે રિલાયન્સ ફાઉન્ડેશન પણ મદદ કરશે તેવું રિલાયન્સના કોર્પોરેટ સર્વિસના DGM સંદીપ રાયે જણાવ્યું હતું.

7મી માર્ચે સંઘપ્રદેશ સેલવાસમાં આવેલા કેન્દ્રીય જનજાતિ પ્રધાન રેણુકાસિંગ સરૂતાએ પણ આ આંગણવાડીઓની મુલાકાત લીધી હતી. અને તેમાં રહેલી સુવિધાઓ, ડેકોરેશનને માણી અભિનંદન પાઠવ્યા હતા.

Last Updated : Mar 8, 2020, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details