ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના મહામારી વચ્ચે કેવડિયામાં યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સને મુદ્દે શું કહે છે રાજકોટવાસીઓ?

ગુજરાતમાં દિવાળી પર્વ બાદ એકાએક કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જેને લઇને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે આગામી 25 અને 26 તારીખે કેવડિયા ટેન્ટ સિટીમાં ભારતની તમામ વિધાનસભાના અધ્યક્ષ, લોકસભા તેમજ રાજ્યસભાના સ્પીકર સહિતના મહાનુભાવો દ્વારા સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને રંગીલા રાજકોટવાસીઓએ આ અંગે પોતાનો પ્રતિસાદ ETV ભારતને જણાવ્યો હતો.

By

Published : Nov 23, 2020, 7:31 PM IST

કોરોના મહામારી વચ્ચે કેવડિયામાં યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સને મુદ્દે શું કહે છે રાજકોટવાસીઓ?
કોરોના મહામારી વચ્ચે કેવડિયામાં યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સને મુદ્દે શું કહે છે રાજકોટવાસીઓ?

  • કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહી છે સ્પીકર કોન્ફરન્સ
  • રાજકોટવાસીઓએ આપી તેમની પ્રતિક્રિયા
  • દવા કે વેક્સીન આવે નહીં ત્યાં સુધી ન યોજાવા જોઇએ કાર્યક્રમો
    કેવડિયામાં યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સને મુદ્દે શું કહે છે રાજકોટવાસીઓ

રાજકોટ: એક તરફ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ સ્પીકર કોન્ફરન્સ જેવા કાર્યક્રમો યોજવા હિતાવહ નહીં હોવાનું મોટાભાગના રાજકોટવાસીઓ જણાવ્યું હતું. કોરોના મહામારીમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે તેમજ વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, હજુ સુધી કોરોના મહામારીની દવા અથવા રસી પણ શોધાઈ નથી ત્યારે આ પ્રકારના કાર્યક્રમ યોજવા તે યોગ્ય ન કહેવાય તેમ રાજકોટવાસીઓનું માનવું છે.

કેવડિયામાં યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સને મુદ્દે શું કહે છે રાજકોટવાસીઓ
ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવું જોઈએઆગામી દિવસોમાં યોજાનારી કોન્ફરન્સને લઈને રાજકોટવાસીઓએ ઈટીવી ભારતને જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે વર્ચ્યુઅલ અથવા ઓનલાઈન બેઠક યોજવી જોઇએ. જેથી કરીને એક જ સ્થળે લોકો ભેગા થાય નહીં તેમજ કોરોના સંક્રમણ પણ ફેલાય નહીં. આ સાથે જ ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ બેઠક દ્વારા આવશ્યક સરકારી કામકાજ પણ અટકે નહીં.
કેવડિયામાં યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સને મુદ્દે શું કહે છે રાજકોટવાસીઓ

ABOUT THE AUTHOR

...view details