- સરકાર દ્વારા નર્મદાના નીર મારફતે આજીડેમ તેમજ ન્યારી ડેમ ભરવામાં આવે છે
- નર્મદાનું પાણી બિલ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને આપવામાં આવ્યું છે
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બિલની ચુકવણી કરવામાં આવી નથી
રાજકોટ: સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા પાણીની રહી છે. એવામાં સરકાર દ્વારા સૌની યોજના બનાવીને નર્મદાના નીર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ ડેમોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે. સૌની યોજના બાદ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી સૌની યોજના મારફતે નર્મદાની માંગણી કરવામાં આવે છે અને સરકાર દ્વારા નર્મદાના નીર મારફતે આજીડેમ તેમજ ન્યારી ડેમ ભરવામાં આવે છે. જેને લઇને રાજકોટવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે, પરંતુ આ સૌની યોજના મારફતે આપવામાં આવતા નર્મદાનું પાણી બિલ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને આપવામાં આવ્યું છે.
સૌની યોજનાના આ પાણીના બિલ મામલે વિવાદ સર્જાયો
આ નર્મદાના પાણીનું બિલ અત્યારસુધીમાં અંદાજીત રૂપિયા 80 કરોડ રૂપિયા જેવું થવા પામે છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બિલની ચુકવણી કરવામાં આવી નથી. જ્યારે સૌની યોજનાના આ પાણીના બિલ મામલે વિવાદ સર્જાયો હોવાનું પણ સામે આવ્યું છે.
વર્ષ 2017થી આજીનું બિલ રૂપિયા 58 કરોડ બાકી
સૌની યોજના મારફતે દર વર્ષે રાજકોટમાં આજીડેમ તેમજ ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે. ત્યારે સૌની યોજના વર્ષ 2017થી રાજકોટ ખાતે કાર્યરત થઈ છે. જેને લઇને રાજકોટમાં ડેમોમાં જ્યારે પાણી ખૂટી જાય છે. એવામાં મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2017થી અત્યારસુધીમાં અંદાજીત 5થી 7 વખત મહાનગરપાલિકા દ્વારા નર્મદાની માંગણી કરવામાં આવી છે, જે રાજ્ય સરકારે પૂરી કરી છે. જે દરમિયાન વર્ષ 2017થી 2021 સુધીનું સૌની યોજના મારફતે લેવામાં આવેલું બિલ રૂપિયા 58 કરોડ 16 લાખ જેટલું થવા પામ્યું છે. જેની ચુકવણી હજુ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી.
ન્યારી ડેમ 1નું બિલ રૂપિયા 22 કરોડ 33 લાખ
સૌની યોજના બન્યા બાદ નર્મદાના નીરનું પાણી રાજકોટના અલગ-અલગ જળાશયોમાં ઠાલવવામાં આવે છે. જેમાંથી આજી ડેમ 1 અને ન્યારી ડેમ 1માં અત્યારસુધી સૌની યોજના મારફતે નર્મદાના નીર આવ્યા છે, ત્યારે ન્યારી ડેમ 1માં વર્ષ 2019થી પ્રથમવાર સૌની યોજનાનું પાણી લેવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2019થી વર્ષ 2021 સુધી એટલે કે અત્યાર સુધીમાં સૌની યોજના દ્વારા નર્મદાના પાણીના રૂપિયા 22 કરોડ 30 લાખનું બિલ રાજકોટ મહાનગરપાલિકાને આપ્યું છે.
આજી ડેમ અને ન્યારી ડેમ બન્નેના બિલ મળીને અંદાજીત રૂપિયા 80 કરોડ