દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ લાભપાચમના દિવસે બજાર ખુલી હતી. જેમાં એક જ દિવસના ગાળામાં સીંગતેલ અને કપાસીયા તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો જોવા મળ્યો હતો.
એક જ દિવસમાં તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો - કપાસીયા તેલની કિંમતમાં ઘટાડો
રાજકોટ: શહેરમાં દિવાળીના તહેવાર બાદ સીંગતેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. તેલની કિંમતમાં ઘટાડો થવાથી સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780ની નીચી સપાટીએ પહોંચ્યો છે.
![એક જ દિવસમાં તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4946480-thumbnail-3x2-m.jpg)
તેલની કિંમતમાં કડાકો
30 રૂપિયા સસ્તું થયું તેલ
સીંગતેલની કિંમતમાં ઘટાડો થતા હાલ બજારમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780માં મળી રહ્યો છે. આ મુદ્દે વેપારીઓનું માનવું છે કે, મગફળીનું પિલાણ શરૂ થયું નથી જેના કારણે કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જ્યારે મગફળીનું પિલાણ શરૂ થશે ત્યારે કિંમતમાં પણ વધારો થઇ શકે છે.