ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં સિંહ ત્રિપુટી પૂરાઇ પાંજરે, ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું - ફોરેસ્ટ વિભાગ

શહેરની પાદરમાં સિંહના આટા ફેરા વધ્યા હોવાથી વન વિભાગમાં દોડધામ મચી છે. આજી ડેમના આસપાસના વિસ્તારમાં વાડી-ફાર્મ હાઉસ ધરાવનારા લોકોમાં પણ સિંહોને લઈને ડર ઉભો થયો છે, ત્યારે ગત દોઢેક મહિનાથી 2 માદા અને એક 1 સિંહના આ પંથકમાં આંટાફેરા વધી ગયા છે. જેના અવારનવાર વીડિયો પણ સામે આવી રહ્યા છે.

સિંહ
સિંહ

By

Published : Jan 13, 2021, 7:08 PM IST

Updated : Jan 13, 2021, 8:03 PM IST

  • રાજકોટમાં સિંહ ત્રીપુટીના આંટાફેરા વધ્યા
  • સિંહના આટાફેરાને લઇને લોકોમાં ભય
  • ગીરની ટીમે ત્રીપુટીનું કર્યું રેસ્ક્યૂ

રાજકોટઃ શહેરની પાદરમાં સિંહના આટા ફેરા વધ્યા હોવાથી વન વિભાગમાં દોડધામ મચી છે. આજી ડેમના આસપાસના વિસ્તારમાં વાડી-ફાર્મ હાઉસ ધરાવનારા લોકોમાં પણ સિંહોને લઈને ડર ઉભો થયો છે, ત્યારે ગત દોઢેક મહિનાથી 2 માદા અને એક 1 સિંહના આ પંથકમાં આંટાફેરા વધી ગયા છે. જેના અવારનવાર વીડિયો પણ સામે આવી રહ્યા છે.

સિંહ ત્રિપુટીનું ગીર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યૂ

રાજકોટમાં ગત ઘણા સમયથી જોવા મળતા સિંહ ત્રિપુટીનું આજે બુધવારે ગીર ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ સિંહને પાંજરે પુરવા ખાસ ટીમ બુધવારે વહેલી સવારથી રાજકોટ આવી હતી અને ત્રણેય સિંહનું રેસ્ક્યૂ કર્યું હતું.

Last Updated : Jan 13, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details