રાજકોટ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં બે દિવસથી ગુમ મન્સુરભાઈ ખોજા વેપારીનો મૃતદેહ ફુલઝર ડેમ માંથી મળી આવ્યો હતો. મૃતક વેપારી મન્સુર ભાઈ ઘરેથી કોઈને કહ્યા વગર જ નીકળી જતાં પરિવારના સભ્યોએ શોધખોળ ચાલુ કરી હતી.તેમજ ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપલેટાના પાનેલીના વેપારીનો મૃતદેહ ફુલઝર ડેમમાંથી મળી આવ્યો - Paneli trader
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં બે દિવસથી ગુમ ખોજા વેપારીનો મૃતદેહ ફુલઝર ડેમ માંથી મળી આવ્યો હતો.વેપારીએ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે.
![ઉપલેટાના પાનેલીના વેપારીનો મૃતદેહ ફુલઝર ડેમમાંથી મળી આવ્યો ગુજરાતી સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:54:17:1600928657-gj-rjt-01-upleta-motipaneli-vrudh-lash-photo-gj10022-24092020100849-2409f-1600922329-65.jpg)
ગુજરાતી સમાચાર
પોલીસે તપાસ કરતાં તળાવ રોડ પર આવેલી હાર્ડવેરની દુકાનના સીસીટીવી ફુટેજમાં મૃતક સાંજના 5:00 વાગ્યે ડેમના રસ્તે જતા જોવા મળ્યા હતા. ડેમ તરફ શોધખોળ કરતા વેપારીનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો. માનસિક બીમારીથી તેમજ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે.