ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશેષ: રાજકોટને ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણમાં કેવી રીતે મળ્યાં 5 સ્ટાર જૂઓ - સ્વચ્છતા અભિયાન

સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રંગીલા રાજકોટને આ વર્ષે દેશમાં 5 મોટા શહેરોમાં ગાર્બેજ ફ્રી શહેરમાં સ્થાન મળ્યું છે. સમગ્ર દેશમાં જ્યારથી વડા પ્રધાનના સ્વચ્છ ભારત મિશનની શરુઆત થઇ છે, ત્યારથી તમામ રાજ્યો કચરામુક્ત બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે ખાસ કરીને રાજકોટ માટે ગર્વની વાત છે કે '5 સ્ટાર કચરામુક્ત' ની સૂચિમાં રાજકોટનો પણ સમાવેશ થયો છે.

વિશેષ: રાજકોટને ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણમાં કેવી રીતે મળ્યાં 5 સ્ટાર જુઓ
વિશેષ: રાજકોટને ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણમાં કેવી રીતે મળ્યાં 5 સ્ટાર જુઓ

By

Published : May 21, 2020, 7:41 PM IST

રાજકોટઃ કેન્દ્ર સરકારે મંગળવારે અંબિકાપુર (છત્તીસગઢ), રાજકોટ, સૂરત, મૈસૂર, ઈન્દોર અને નવી મુંબઈને '5-સ્ટાર કચરામુક્ત શહેરો' તરીકે જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના બે જ શહેરનો સમાવેશ થાય છે. આ અંગે ETV ભારત સાથેની વાતચીતમાં રાજકોટ મનપા કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ જ્યારે આ પ્રકારનું સર્વેક્ષણ થયું ત્યારે રાજકોટને પણ ત્રણ સ્ટાર મળ્યાં હતાં. પરંતુ રાજકોટ મનપા દ્વારા સતત શહેરમાં નવી નવી પદ્ધતિઓને વિકસાવી, તેમ જ માઇક્રોપ્લાનિંગ કરીને જે અગાઉ ભૂલ કરી હતી તે સુધારી અને ડોર ટુ દોર સર્વે કર્યો જેનું આ પરિણામ છે.

વિશેષ: રાજકોટને ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણમાં કેવી રીતે મળ્યાં 5 સ્ટાર જૂઓ

રાજકોટમાં હાલ જાહેરમાં થૂંકવું, તેમ જ સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોથલીઓનો ઉપયોગ કરવો એ તમામ બાબતો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ રાજકોટમાં કચરો પણ સૂકો અને ભીનો એમ અલગ અલગ બે પ્રકારની કચરાપેટીમાં નાખવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે રાજકોટમાં ઘરે ઘરે જઈને કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ જીપીએસ સિસ્ટમ ગોઠવામાં આવી છે. જેને લઈને આ ગાડીઓ પોતાના રૂટ પર વ્યવસ્થિત કામ કરે છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે છે. આ કચરાગાડી રાજકોટમાં દિવસભર ફરીને ઘરે ઘરે જઈને કચરો એકઠો કરે છે. ત્યારબાદ રાજકોટમાં રૈયારોડ અને આજીડેમ નજીક બે જગ્યાએ આ કચરો એકઠો કરીને તેમાંની ભીનો અને સૂકો કચરો અલગ કરવામા આવે છે. આમ આખી એક અલગ પદ્ધતિ વડે કચરાનો નિકાલ કરવાનું કામ થાય છે.

એક અંદાજ પ્રમાણે રાજકોટમાં દરરોજ 700 ટન જેટલો કચરો આ ગાડીઓ એકઠો કરે છે. આ સાથે જ રાજકોટ માટે સૌથી મહત્વનો માનવામાં આવતો આઈ વે પ્રોજેકટ પણ અદ્દભુત છે. જેને લઈને જાહેરમાં થૂંકતાં વાહનચાલકો અને કચરો કરતાં ઈસમો સીધા જ કેમેરામાં ઝડપાઈ જાય છે. જેને લઈને મનપા કચેરીમાંથી આવા લોકોના ઘરે જ સીધો દંડ માટેનો મેમો પહોંચી જાય છે. જ્યારે રાજકોટને કચરામુક્ત બનાવવા માટે અલગ અલગ સોસાયટીના એસોસિએશન, NGO, તેમ જ વેપારી એસોસિએશનોનો પણ સહકાર લેવામાં આવ્યો હતો. જેની મદદથી હાલ રાજકોટને 5 સ્ટાર મળ્યાં છે.

જ્યારે આ અંગે ઈટીવી ભારત દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને પૂછવામાં આવ્યું તો તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટના છે તેમ જ અગાઉ પણ વડાપ્રધાન મોદી રાજકોટ વિધાનસભા બેઠક જીતીને મુખ્યપ્રધાન બન્યાં હતાં માટે રાજકોટને આ પ્રકારે સ્વચ્છતા રેકિંગમાં સ્થાન કેન્દ્ર સરકાર મૂકી રહી છે. હજુ પણ રાજકોટના એવા અનેક વોર્ડ છે જ્યાં કચરાના ઢગલાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા દ્વારા 7 સ્ટાર માટે પણ નામાંકન કરવામાં આવ્યું હતું .પરંતુ દેશમાં કોઈ પણ શહેરને આ સર્વેક્ષણમાં 7 સ્ટાર મળ્યાં નથી.

ABOUT THE AUTHOR

...view details