ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં મંદી, 50 ટકા યુનિટ 2 મહિનાથી બંધ રહેતા 3 લાખ કારીગરો બેકાર - Rajkot Imitation Market

રાજકોટ (Rajkot) ઇમિટેશન માર્કેટ (imitation market) હાલ મંદીનો માર સહન કરી રહી છે. દેશમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી છે. એવામાં સત્તત લોકડાઉન અને કાચા માલનો ભાવ વધતા દેશની સૌથી મોટી મનાતી એવી ઇમિટેશન માર્કેટ પણ મંદીનો માર સહન કરી રહી છે. ઇમિટેશન માર્કેટ (imitation market) માંથી ઘણો માલ વિશ્વના અલગ-અલગ દેશોમાં પણ જાય છે. જેને લઈને હાલ કોરોનાના કારણે બીજા દેશો સાથેનો વ્યવહાર બંધ છે. બીજી તરફ કાચા માલના ભાવમાં પણ વધારો થયો છે. જેને લઇને આ તમામની સીધી જ ઇમિટેશન માર્કેટ પર જોવા મળી રહી છે. જેના કારણે રાજકોટમાં 50 ટકા જેટલા યુનિટો છેલ્લા બે મહિનાથી બંધ રાખવાની ફરજ પડી છે.

Recession in imitation market
Recession in imitation market

By

Published : Aug 13, 2021, 9:11 PM IST

  • સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં મંદી
  • 50 ટકા યુનિટો છેલ્લા બે મહિનાથી બંધ
  • 3 લાખ કારીગરો બેકાર

રાજકોટ: શહેરમાં ઇમિટેશન (imitation) પ્રોડક્ટ બનવાના અંદાજીત 15 હજાર કરતા વધુ પ્રોડક્શન હાઉસ આવેલા છે. જેમાંથી 6 હજાર કરતા વધુ પ્રોડક્શન યુનિટો છેલ્લા 2 મહિનાઓથી બંધ છે. જ્યારે યુનિટમાં તૈયાર કરવામાં આવેલો માલ હાલ વહેંચાયો નથી. તેમજ વૈશ્વિક કોરોના મહામારીના કારણે અન્ય દેશના વેપારીઓ પણ માલની ખરીદી માટે અહીં આવતા નથી. લગ્ન સિઝન, ધાર્મિક કાર્યક્રમો, તહેવારોમાં પણ જ્વેલરી વધુ પ્રમાણમાં વહેંચાય છે પરંતુ કોરોના કારણે આ બધુ પણ મર્યાદિત સંખ્યામાં થઈ રહ્યું છે. જેને લઈને મંદી વધુ પ્રમાણમાં સર્જાઈ છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં મંદી

આ પણ વાંચો: કોરોનાએ બનાવ્યું હીરાનું ડિજિટલ માર્કેટ, સુરતના વેપારીઓ દ્વારા ડાયમંડની ઓનલાઈન ખરીદી

3 લાખ જેટલા કારીગરો બેકાર બન્યા

રાજકોટ (Rajkot) જિલ્લામાં અંદાજીત 7 લાખ કરતાં વધુ લોકો ઇમિટેશન (imitation) ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એવામાં જેવી જ કોરોનાની પ્રથમ લહેર આવી ત્યારથી જ ઇમિટેશન માર્કેટ પર ધીમે ધીમે ગ્રહણ લાગવા માંડ્યું હતું અને બીજી લહેર દરમિયાન તેને સૌથી વધુ અસર થઈ હતી. હાલ 7 લાખ કરતાં વધુ કારીગરોમાંથી 3 લાખ જેટલા કારીગરો ઘરે બેરોજગાર બેઠા છે. આમ રાજકોટ ઇમિટેશન માર્કેટમાં મંદી હીવના કારણે ઘણા પરિવારો પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં મંદી

આ પણ વાંચો: Corona Effect: ઇદ હોવા છતાં રાજકોટ મટન માર્કેટમાં મંદીનો માહોલ

કારીગરો મંદીથી કંટાળીને આત્મહત્યા તરફ વળ્યા

ઇમિટેશન માર્કેટ એસોસિએશન (Imitation Market Association) ના પ્રમુખ જીગ્નેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ (Rajkot) ઇમિટેશન માર્કેટ (imitation market) ના 3 લાખથી વધુ કારીગરો બેકાર બેઠા છે. આ કારીગરોના પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે એવામાં તેઓ આત્મહત્યા તરફ વળી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં પાંચથી છ જેટલા કારીગરો અને વેપારીઓને આત્મહત્યા કર્યાની ઘટનાઓ પણ સામે આવી છે. ઇમિટેશન માર્કેટમાં હાલ સતત મંદી વર્તાઈ રહી છે. જેના કારણે કેટલાક કારીગરોએ તો આ ધંધો મૂકીને બીજી જગ્યાએ નોકરી કરવાનું શરૂ કરી દીધું છે.

ABOUT THE AUTHOR

...view details