ગુજરાત

gujarat

રાજકોટ પોલીસ કમિશ્નરનો નિર્ણય, આગામી 48 કલાક સુધી પોલીસના અધિકારીઓ જવાનો ઘરે નહી જાય

By

Published : May 17, 2021, 5:22 PM IST

ગુજરાત તરફ આગળ વધી રહ્યું તૌકતે વાવાઝોડાંને લઈ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેથી ઘણા ગામમાં અને શહેરમાં નુકશાન જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું કે, સંભવિત વાવાઝોડાને પગલે આગામી 48 કલાક શહેર પોલીસના એક પણ અધિકારી અને કર્મીઓ ઘરે નહીં જાય તેમજ વાવાઝોડાંને પગલે આગામી 48 કલાક તમામ પોલીસ કર્મીઓ લોકો વચ્ચે કાર્યરત રહેશે. આ ઉપરાંત લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા પોલીસ કમિશ્નરે અપીલ કરી હતી.

રાજકોટ પોલીસ કમિશ્નરનો નિર્ણય
રાજકોટ પોલીસ કમિશ્નરનો નિર્ણય

  • રાજકોટ પોલીસ કમિશ્નરે લીધો મહત્વનો નિર્ણય
  • પોલીસ કર્મીઓ લોકો વચ્ચે રહેશે સતત કાર્યરત
  • કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ પોલીસ તંત્ર સજ્જ

રાજકોટઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાંને લઈ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેથી ઘણા ગામમાં અને શહેરમાં નુકશાન જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નિર્ણય કર્યો છે કે, આગામી 48 કલાક સુધી પોલીસના અધિકારીઓ જવાનો ઘરે નહી જાય, બંદોબસ્તના સ્થળે હજાર રહેશે, GRD, SRP, હોમ ગાર્ડના જવાનો સ્થળ પર જ રહેશે.

રાજકોટ પોલીસ કમિશ્નરનો નિર્ણય

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

શહેરમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ

પોલીસ કમીશ્નરે જણાવ્યું કે, શહેરમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજાગ રહેશે, લોકોને આજે સોમવાર સાંજથી બે દિવસ સુધી બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા પર અપીલ કરી છે. ઓક્સિજન લઈ જતા વાહનો માટે ગ્રીન કોરિડોરની પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ પોલીસ તંત્ર સજ્જ છે.

ABOUT THE AUTHOR

...view details