ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં બહારથી આવતા લોકોને ક્વોરેન્ટાઇન માટે મનપાએ એપ બનાવી - rajkot corona update

કોવિડ-19 મહામારીના સમયમાં લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. હાલમાં અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ આવી રહ્યા છે, ત્યારે આ તમામ લોકોએ ફરજિયાત પણે 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન રહેવાનું છે. આ કાર્ય પર જરૂરી દેખરેખ માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. શહેરના 7 પ્રવેશ પોઇન્ટ્સ પર મનપાએ પોલીસ સાથે મળીને 24 કલાક માટે ચેક પોસ્ટ પર ત્રણ શિફ્ટમાં સ્ટાફ તૈનાત કર્યા છે.

rajkot manpa created an app for quarantine for people coming from outside in Rajkot
રાજકોટમાં બહારથી આવતા લોકોને કોરોન્ટાઇન માટે મનપાએ એપ બનાવી

By

Published : May 7, 2020, 6:45 PM IST

રાજકોટઃ હાલમાં અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ આવી રહ્યાં છે, ત્યારે આ તમામ લોકોએ ફરજિયાત પણે 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન રહેવાનું છે. આ કાર્ય પર જરૂરી દેખરેખ માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. શહેરના 7 પ્રવેશ પોઇન્ટ્સ પર મનપાએ પોલીસ સાથે મળીને 24 કલાક માટે ચેક પોસ્ટ પર ત્રણ શિફ્ટમાં સ્ટાફ તૈનાત કર્યા છે.

છેલ્લા 2 દિવસમાં આ ટીમોએ બહારથી આવતા લોકોની વિગતો મેન્યુઅલી નોંધી હતી. જો કે, હવે આજથી મોબાઈલ એપ્લીકેશનની મદદથી આ ટીમો ત્યાં ચેકપોસ્ટ પર બેઠાંબેઠા જ પોતાના મોબાઇલની મદદથી આગંતુક લોકોની માહિતી અપલોડ કરશે. જેથી તેઓને સમય ગુમાવ્યા વગર હોમ કોરોન્ટાઇન કરી શકાશે.

આ અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આ તમામ ચેકપોસ્ટ પર તૈનાત મનપા સ્ટાફ ત્યાં સ્થળ પરથી જ એપમાં માહિતી અપલોડ કરતા હવે આ માહિતી મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્થિત કંટ્રોલ રૂમમાં આવી જશે. ત્યાંથી આ માહિતી હોમ કોરોન્ટાઇનની કામગીરી કરી રહેલ ટીમોને પહોંચી જશે. આ માહિતીના આધાર પરથી આ ટીમો બહારથી આવેલા લોકોને સમય બગાડ્યા વગર તરત જ તેમના ઘરે કોરોન્ટાઇન હેઠળ મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને તેમના ઘર પર માહિતી આપતું સ્ટીકર લગાવશે. જેથી અન્ય લોકોને પણ ખ્યાલ આવશે કે આ મકાનમાં રહેતા લોકો કોરોન્ટાઇન હેઠળ છે.

આ સાથે જ મનપા દ્વારા અપીલ પણ કરાઈ છે કે, એક જવાબદાર નાગરિક તરીકે આપની અડોશ-પડોશમાં અન્ય જિલ્લામાંથી કોઈ મહેમાનો આવ્યા હોય તો તેની માહિતી રાજકોટ મહાનગરપાલિકાના કમ્પ્લેઇન્ટ નંબર 0281 - 2450077 ઉપર જાણ કરવામાં આવે. તેમજ આ માહિતી પરથી એ સુનિશ્ચિત કરી શકાશે કે બહારથી આવેલ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન કરવામાં બાકી રહી ગઈ નથી.

ABOUT THE AUTHOR

...view details