ગુજરાત

gujarat

'તૌકતે' વાવાઝોડાને કારણે સલામત સ્થળે ખસેડાયેલા જસદણ અને વિછીંયા તાલુકાના 1,208 લોકોની કરાઈ ઘર વાપસી

By

Published : May 20, 2021, 6:24 AM IST

"તૌકતે" વાવાઝોડાની સંભાવના વચ્ચે જસદણ અને વિંછીયા તાલુકા - શહેરમાંથી 1,208 લોકોનું કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ સ્થળાંતર કરી તેમને નજીકના આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા. જેમને પરત ઘરે મોકલવામાં આવ્યાં

અંદાજીત 1,208 લોકોનું કરવામાં આવ્યું હતું સ્થળાંતર
અંદાજીત 1,208 લોકોનું કરવામાં આવ્યું હતું સ્થઅંદાજીત 1,208 લોકોનું કરવામાં આવ્યું હતું સ્થળાંતરઅંદાજીત 1,208 લોકોનું કરવામાં આવ્યું હતું સ્થળાંતરળાંતર

  • રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી સઘન કામગીરી
  • કોવિડ-19 લોકોનું કરવામાં આવ્યું સલામત સ્થળે સ્થળાંતર
  • અંદાજીત 1,208 લોકોનું કરવામાં આવ્યું હતું સ્થળાંતર

રાજકોટ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ઉભા થયેલા ‘‘તૌકતે’’ વાવાઝોડાની અસરથી જાન માલની કોઈ હાની ન થાય તે મારે રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા સઘન કામગરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી સઘન કામગીરી

આ પણ વાંચો:વાવાઝોડાને કારણે ઉપલેટા પંથકમાં સ્થિતિ કાબુમાં હોવા છતા તંત્ર એલર્ટ રહ્યું

નજીકના આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા

જે અન્વયે જિલ્લાના જસદણ અને વિંછીયા તાલુકા - શહેરમાંથી 1,208 લોકોનું કોવિડ - 19ની માર્ગદર્શિકા મુજબ સ્થળાંતર કરી તેમને નજીકના આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા. જે તમામ લોકોને તેમના ઘર પરત મોકલવામાં આવ્યા હતા. તેમ જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચરે જણાવ્યું હતુ.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના પગલે વિજતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન: સૌરભ પટેલ

લોકોની કરવામાં આવી હતી જમવાની અને રહેવાની વ્યવસ્થા

"તૌકતે’’ વાવાઝોડાને ધ્યાને લઈ જસદણ અને વિછીંયા તાલુકા - શહેરમાં વાવાઝોડાની અસર થવા અને સ્થળાંતર કરવાપાત્ર 1,208 વ્યક્તિઓ પૈકી જસદણ શહેરના 80 સ્ત્રી, 111 પુરૂષ અને 59 બાળકો મળી 250 લોકો, જસદણ તાલુકાના 130 સ્ત્રી, 168 પુરૂષ અને 207 બાળકો મળી 505 લોકો તેમજ વિછીંયા તાલુકાના 136 સ્ત્રી, 186 પુરૂષ અને 131 બાળકો મળી 453 લોકોને તેમના ઘર નજીકની સમાજ વાડી, માર્કેટિંગ યાર્ડ, પ્રાથમિક શાળા, આંગણવાડી સહિતના આશ્રયસ્થાનોમાં આશ્રય આપવામાં આવ્યો હતો. જ્યાં તેમના માટે ફુડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવી વાવાઝોડાનો ભય દૂર થતાં તેમને પરત તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details