ગુજરાત

gujarat

ETV Bharat / city

Paresh Dhanani in Rajkot : પરેશ ધાનાણીએ કહ્યું જેને પણ કોંગ્રેસના માધ્યમથી લોકોની સેવા કરવી છે તે આવકાર્ય, કોની માટે કહ્યું તે જાણો - પરેશ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા

વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani in Rajkot)આજે કોંગ્રેસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજકોટમાં હતાં. કોંગ્રેસના ડિજિટલ સભ્ય અભિયાન (Rajkot Congress Digital Member Registration )કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Paresh Dhanani in Rajkot : પરેશ ધાનાણીએ કહ્યું જેને પણ કોંગ્રેસના માધ્યમથી લોકોની સેવા કરવી છે તે આવકાર્ય, કોની માટે કહ્યું તે જાણો
Paresh Dhanani in Rajkot : પરેશ ધાનાણીએ કહ્યું જેને પણ કોંગ્રેસના માધ્યમથી લોકોની સેવા કરવી છે તે આવકાર્ય, કોની માટે કહ્યું તે જાણો

By

Published : Mar 11, 2022, 8:23 PM IST

રાજકોટ: વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani Former Leader of Opposition )આજે રાજકોટ (Paresh Dhanani in Rajkot)ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસ દ્વારા શહેરમાં ડિજિટલ સભ્યો અભિયાન અંતર્ગત કાર્યક્રમ (Rajkot Congress Digital Member Registration )યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આગામી ચૂંટણીને લઈને વિશેષ ચર્ચાઓ કરી હતી.

નરેશ પટેલને કોંગ્રેસમાં આવવા હવે ધાનાણીનું આમંત્રણ

ધાનાણીએ નરેશ પટેલ અંગે આપ્યું નિવેદન

કોંગ્રેસના (Paresh Dhanani in Rajkot)કાર્યક્રમ દરમ્યાન મીડિયા સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ હાર્દિક પટેલ દ્વારા તાજેતરમાં નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં આવવા માટેનું આમંત્રણ માટે લેટર લખવામાં આવ્યો છે તે અંગે જણાવ્યું હતું કે Paresh Dhanani On Naresh Patelજે પણ લોકોને કોંગ્રેસના માધ્યમથી સમાજની સેવા કરવી છે તે તમામ લોકો આવકાર્ય છે. આમ કહીને પરેશ ધાનાણીએ પણ નરેશ પટેલની કોંગ્રેસમાં આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ દ્વારા નરેશ પટેલને લેટર લખવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પરેશ ધાનાણીએ પણ આજે નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં યોજાયું કોંગ્રેસનું જનજાગરણ સંમેલન, કોંગ્રેસે 2022ની ચૂંટણી જીતવા બાંયો ચડાવી

લોકોના ઘરે ઘરે જઈને કાર્યકર્તાઓ સભ્યની નોંધણી કરે

આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે. ત્યારે પરેશ ધાનાણીએ આજે રાજકોટમાં કોંગી કાર્યકરોને માર્ગદર્શન (Paresh Dhanani in Rajkot) પૂરું પાડ્યું હતું. જ્યારે મોંઘવારી બેકારી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેવા પ્રશ્નોને શહેર કોંગી નેતાઓને વાચા આપવા માટેની સુચનાઓ પણ આપવામાં આવી હતી. આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગી નેતાઓ લોકોના ઘરે ઘરે જઈને સભ્યોની નોંધણી (Rajkot Congress Digital Member Registration )કરે તે પ્રકારનું પણ માર્ગદર્શન પાઠવ્યું હતું.

આ પણ વાંચોઃ સરકારે ગૃહમાં પુરા પાડેલા કોરોના મૃતકોના આંકડામાં વિસંગતતા : કોંગ્રેસ

ABOUT THE AUTHOR

...view details