- રાજકોટમાં તૌકતેએ તાંડવ સર્જ્યુ
- 70થી વધુ વૃક્ષો થયા ધારાશાહી
- રાજકોટમાં અંદાજીત અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન
રાજકોટ : ગુજરાત તરફ આગળ વધી રહ્યું તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. સોમવારે મોડી સાંજથી ભારે પવન સાથે વરસાદ પડતા ઘણા ગામોમાં અને શહેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે અને તારાજી સર્જાઈ છે. રાજકોટમાં અંદાજીત અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું તંત્ર દ્વારા અનુમાન લગાવામાં આવ્યું છે. વાવાઝોડાના પગલે રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર 15 વધુ વૃક્ષો ધારાશાહી થાયા જોવા મળ્યા હતા, ત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ