ગુજરાત

gujarat

ETV Bharat / city

SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર - SMV-1 disease in india

મહિસાગર ખાતે રહેતા મધ્યમવર્ગીય પરિવારના 3 માસના પુત્રને એક ગંભીર બિમારી થઈ છે. SMA-1 નામથી ઓળખાતી આ બિમારીની સારવાર માટે 16 કરોડની કિંમતના એક ઈન્જેક્શનની જરૂર છે. જોકે, બાળકના પરિવારજનો આ ઈન્જેક્શનનો ખર્ચ ભોગવી શકે તેમ ન હોવાથી ધોરાજી-ઉપલેટાના MLA લલિત વસોયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મદદ કરવા માગ કરી છે.

ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર
ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર

By

Published : Mar 14, 2021, 3:51 PM IST

Updated : Mar 14, 2021, 10:16 PM IST

  • મુખ્યમંત્રી રાહત ફંડમાંથી SMA-1ની સારવાર માટે સહાય બાબતે લખ્યો પત્ર
  • ધૈર્યરાજસિંહની સારવાર માટે અંદાજીત 16 કરોડ રૂપિયાની જરૂરિયાત
  • સોમવારે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં ધૈર્યરાજસિંહની સારવારનો મુદ્દો ઉઠાવશે

રાજકોટ:મહિસાગર જિલ્લાના કાનેસર ગામના રહેવાસી રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડનો 3 માસનો પુત્ર ધૈર્યરાજસિંહ SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાય છે. જે બીમારીના સારવાર અર્થે ઈન્જેક્શનની જરૂરિયાત છે. બાળકના પરિવારજનો આ ઈન્જેક્શન તેમજ બાળકની સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી ધોરાજી-ઉપલેટાના MLA લલિત વસોયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મદદ કરવા માગ કરી છે.

MLA લલિત વસોયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલો પત્ર
આ પણ વાંચો:ગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા


મધ્યમ વર્ગીય પરિવાર સારવાર ખર્ચ ઉઠાવવા માટે અસમર્થ

MLA લલિત વસોયાએ જણાવ્યું કે,બિમાર બાળક ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. ધૈર્યરાજસિંહની બિમારીની સારવાર માટે ઈન્જેક્શનની જરૂરિયાત છે અને આ ઈન્જેક્શનની અંદાજીત રકમ રૂ.16 કરોડ હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. પરિવારજનો ઈન્જેક્શનની ખરીદી કરી શકે તેવી આર્થિક પરીસ્થિતી ન હોવાથી મુખ્યપ્રધાનને પત્ર લખીને રાહત ફંડમાંથી સહાય કરવાની માગ કરી છે.

ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર
આ પણ વાંચો:ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેસેએ પહેલા પોલીસે PPE કીટ પહેરીને ડિટેઇન કર્યા


વડાપ્રધાન પાસે પણ સહાયની કરી માગ

તેમણે વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાન બિમારી ધરાવતા એક બાળકને ઈન્જેક્શન અપાવીને મદદરૂપ થયા હતા. જેને ધ્યાનમાં લઈને રાજદીપસિંહના 3 માસના પુત્રને સારવાર મળી રહે તે માટે વડાપ્રધાન પાસે પણ મદદની માગ કરી છે.

Last Updated : Mar 14, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details