ગુજરાત

gujarat

ETV Bharat / city

કોર્પોરેશન ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ

રાજકોટ મનપાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ, પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વૉર્ડ નંબર-7માં પેટ્રોલ, માસ્ક, ગેસ સિલિન્ડર, ઇ-મેમો સહિતાના દંડની રકમ સાથેના બેનર સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો.

By

Published : Feb 19, 2021, 4:32 PM IST

મનપાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ
મનપાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ

  • મનપાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ
  • કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, માસ્ક, ગેસ સિલિન્ડર, ઇ-મેમોના બેનર સાથે પ્રચાર
  • દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસમાં પણ ભાવ વધી રહ્યા છે

રાજકોટ : મનપાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ, પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી રહી છે. જેથી કોંગ્રેસ દ્વારા વૉર્ડ નંબર 7માં પેટ્રોલ, માસ્ક, ગેસ સિલિન્ડર, ઇ-મેમો સહિતાના દંડની રકમ સાથેના બેનર સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો.

મનપાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ

રાજકોટમાં મોંઘવારીથી લોકો ત્રસ્ત

શુક્રવારે વૉર્ડ નંબર-7માં રણજિત મૂંધવા, કેતન જરીયા, અલ્પાબેન રવાણી અને વૈશાલી પડયા ચૂંટણી પ્રચાર કર્યો હતા. કોંગ્રેસના ઉમેદવાર કેતન જરીયાએ જણાવ્યું હતું કે, સતત ગેસ, સિલિન્ડર, પેટ્રોલ, ઇ-મેમોના દંડને લઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે લોકોની વચ્ચે મોંઘવારીનો મુદ્દો લઈને જઇ રહ્યાં છીએ. રાજકોટમાં મોંઘવારીથી લોકો ત્રસ્ત થયા છે, ત્યારે આજ રોજ રેલી કરીને ઘરે ઘરે ગેસ સિલિન્ડર સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો.

રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો થતાં મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું

કેતન જરીયાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે અને પ્રજા પણ પેટ્રોલ અને ડીઝલના ભાવથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રાંધણ ગેસમાં ભાવમાં 50 રૂપિયાનો વધારો થતાં મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચારમાં પણ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details