રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં 17 ઓગસ્ટ સાંજે 5 વાગ્યે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા Saurashtra biggest Lok Mela ને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનભૂપેન્દ્ર પટેલના CM Bhupendra Patel હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકમેળો શરૂ થયાના એક દિવસ અગાઉ લોકમેળાની તૈયારીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે જેમાં આકાશના આંબતા ચકડોળ અને વિવિધ રાઇડ્સનું આકર્ષણ જોવા મળી રહ્યું છે.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આપી માહિતી કલેક્ટર અરુણ મહેશ બાબુએ Collector Arun Mahesh Babu જણાવ્યું કે મેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો નક્કી કરાયું છે. જેમાં લોકોને સલામત, સસ્તું, સ્વચ્છ મનોરંજન મળે અને હાઈજેનિક ફૂડ મળે તે માટે તડામાર તૈયારીઓ Janmashtami Fair in Rajkot થઈ રહી છે.કોવિડ પરિસ્થિતિને કારણે છેલ્લા બે વર્ષના લાંબા સમયગાળા પછી જ્યારે આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ લોકમેળાના ઉદઘાટન સમારંભમાં પ્રધાનો જિતુ વાઘાણી, રાઘવજી પટેલ, અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે તેવી પણ વિગતો સામે આવી છે.
18 લાખની વસ્તી ધરાવતા મહાનગરમાં આ એકમાત્ર લોકમેળોઆ મેળામાં Janmashtami Fair in Rajkot પૂર્વાનુભવ મૂજબ સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસમાં 12થી 15 લાખ લોકો ઉમટતા હોય છે. આ અન્વયે રેસકોર્સ ફરતે અઢી કિ.મી.ના રિંગ રોડને 17થી 21 ઓગસ્ટ દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ કરાશે. જેને અનુલક્ષીને રાજકોટ CP રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડી રેસકોર્સ ફરતેના રસ્તાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે તેમજ વાહન વ્યવહાર માટે અમુક રસ્તાઓ બંધ કર્યા છે. આ જાહેરનામું 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. વાહન ક્યાં પાર્ક નહીં કરી શકાય અને કેટલા રસ્તા ખુલ્લા રહેશે, કેટલા બંધ રહેશે અને ફ્રી-પાર્કિંગ ક્યા ક્યા થઇ શકશે તેની વિગતો આ મુજબ છે.