ગુજરાત

gujarat

By

Published : Feb 20, 2022, 8:31 PM IST

ETV Bharat / city

Hardik Patels serious allegations: યોગ્ય તપાસ થાય તો રૂ.1000 કરોડની તોડબાજી ખુલશે- હાર્દિક પટેલ

હાર્દિક પટેલે રાજકોટ પોલીસ કમિશ્નરના તોડબાજી પ્રકરણ અંગે આક્ષેપ (Hardik Patels serious allegations) કર્યો છે કે, જો આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો રૂ.1000 કરોડથી વધુની તોડબાજી કરવામાં આવી હોવાનું ખુલશે.

Hardik Patels serious allegations: યોગ્ય તપાસ થાય તો રૂ.1000 કરોડની તોડબાજી ખુલશે- હાર્દિક પટેલ
Hardik Patels serious allegations: યોગ્ય તપાસ થાય તો રૂ.1000 કરોડની તોડબાજી ખુલશે- હાર્દિક પટેલ

રાજકોટ: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બૉમ્બ (Govind patel letter bomb) બાદ ગુજરાતના રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ કમિશ્નર વિરુદ્ધ વિકાસ સહાય દ્વારા તપાસ (Rajkot police commissioner Inquiry) કરવામાં આવી રહી છે. એવામાં હાર્દિક પટેલે રાજકોટ પોલીસ કમિશ્નરના તોડબાજી પ્રકરણ અંગે આક્ષેપ (Hardik Patels serious allegations) કર્યો છે કે જો આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો રૂ.1 હજાર કરોડથી વધુની તોડબાજી કરવામાં આવી હોવાનું ખુલશે.

Hardik Patels serious allegations: યોગ્ય તપાસ થાય તો રૂ.1000 કરોડની તોડબાજી ખુલશે- હાર્દિક પટેલ

આ પણ વાંચો:Ahmedabad serial blast: મૃત્યુદંડના 3 દોષિતોએ દાવો કર્યો છે કે ઈર્ષ્યાથી તેમની સામે જુબાની આપી

રક્ષક જ હવે ભક્ષક બની ગયા છે: હાર્દિક પટેલ

આજે રાજકોટની ટી એન રાવ કોલેજ ખાતે કોંગ્રેસ દ્વારા ડીઝીટલ સદસ્યતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર યોગ્ય તપાસ કરાવે તો રાજકોટમાંથી પોલીસે રૂ.1 હજાર કરોડની તોડબાજી કરી હોવાનું ખુલશે. જ્યારે સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. આ મામલે પોલીસ કમિશ્નરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.

આ પણ વાંચો:શું ભારતમાં વિદેશી નાગરિક ચૂંટણી પ્રચાર કરી શકે?

જયરાજસિંહે હાઇકમાન્ડને મળીને નિર્ણય લેવો જોઈએ

જ્યારે તાજેતરમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ દ્વારા પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જયરાજસિંહે જે પણ બાબત હોય તેને પક્ષના નેતાઓ સાથે મળીને ચર્ચા કરવી જોઈએ અને ત્યારબાદ નિર્ણય લેવો જોઈતો હતો. જ્યારે પાંચ રાજ્યની ચૂંટણીના પરીણામ બાદ ભાજપના પૂર્વ પ્રધાનો કોંગ્રેસમાં આવશે. ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં તોડકાંડ મામલે હાર્દિક પટેલ દ્વારા પોલીસ કમિશ્નર પર અનેક ગંભીર આક્ષેપ કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details