ગુજરાત

gujarat

By

Published : Dec 30, 2020, 9:32 PM IST

ETV Bharat / city

રાજકોટમાં હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલ સામે કરી લાલ આંખ

રાજકોટ ઉદય હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ વિભાગે હોસ્પિટલો સામે લાલઆંખ કરી છે. રાજકોટના ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરના કહેવા મુજબ, કુલ 12 હોસ્પિટલો પાસે એન.ઓ.સી ન હોવાથી સીલ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટમાં હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલ સામે કરી લાલ આંખ
રાજકોટમાં હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલ સામે કરી લાલ આંખ

  • રાજકોટ ફાયર વિભાગની લાલ આંખ
  • રાજકોટમાં હોસ્પિટલ અગ્નિકાંડ બાદ કડકાઈ
  • ફાયર એનઓસી વગરની હોસ્પિટલ સીલ કરાશે

રાજકોટઃરાજકોટ શહેરમાં 421 હોસ્પિટલો છે જેમાંથી માત્ર 100 હોસ્પિટલો પાસે જ ફાયર એન.ઓ.સી હોવાનું સામે આવ્યું છે.જ્યાં સુધી એન.ઓ.સી નહીં લે ત્યાં સુધી નવા દર્દીઓને દાખલ નહીં કરી શકે. બધા દર્દીઓ ડિસ્ચાર્જ થયા પછી હોસ્પિટલની સીલ કરવામાં આવશે.

ફાયર એનઓસી વગરની હોસ્પિટલ સીલ કરાશે

માત્ર 100 હોસ્પિટલો પાસે જ ફાયર એન.ઓ.સી છે

રાજકોટ શહેરમાં 421 હોસ્પિટલો છે જેમાંથી માત્ર 100 હોસ્પિટલો પાસે જ ફાયર એન.ઓ.સી હોવાનું સામે આવ્યું છે. સાથે જ જે હોસ્પિટલોએ છત પર ફાયબર ડોમ બનાવ્યાં હશે તે દૂર નહીં કરે ત્યાં સુધી એન.ઓ.સી નહીં આપવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details