ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટની મુલાકાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, સિવિલમાં દર્દીઓનો પૂછ્યા ખબર અંતર - જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે(Education Minister Jitu Waghan on a visit to Rajkot) આવ્યા હતા, તે દરમિયાન અહીં તેમને પીડિયુ મેડીકલ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર, મનપા કમિશ્નર સહિતના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક(Meeting with health officials of Jitu Waghan યોજી હતી અને રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા(Discussion of Corona's situation) કરી હતી. રાજકોટમાં જો આગામી દિવસોમાં કોરોનાના કેસ વધુ આવે તો ક્યાં ક્યાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે તમામ બાબતોની વિગતો પણ મેળવી હતી, ત્યારબાદ વાઘાણી સિવિલ હોસ્પિટલમાં જઇને દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.

રાજકોટની મુલાકાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, સિવિલમાં દર્દીઓનો પૂછ્યા ખબર અંતર
રાજકોટની મુલાકાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, સિવિલમાં દર્દીઓનો પૂછ્યા ખબર અંતર

By

Published : Jan 9, 2022, 5:46 PM IST

રાજકોટ : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે રાજકોટની મુલાકાત લિધી(Education Minister Jitu Waghan on a visit to Rajkot) હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમને પત્રકાર પરિષદ(Jitu Waghan's press conference) માં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 400 જેટલી મેડીકલ ટીમ કાર્યરત છે. આગામી દિવસોમાં રાજકોટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઘરે ઘરે જઇને લોકોનો સર્વે કરવામાં આવશે, તેમજ જરૂરી જણાય તો તેમની સાથે મેડિકલની ટીમ પણ હાજર રહેશે અને કોઈને પણ કોરોનાના લક્ષણો જણાશે તો તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવશે.

રાજકોટની મુલાકાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, સિવિલમાં દર્દીઓનો પૂછ્યા ખબર અંતર

વિવિધ હોસ્પિટલ ખાતે 24 જેટલા ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા

કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનનો બહુ મોટો પ્રશ્ન ઉભા થયો હતો, ત્યારે આ વખતે રાજકોટ જિલ્લામાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે રાજકોટ જિલ્લામાં વિવિધ હોસ્પિટલ ખાતે 24 જેટલા ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેની કેપિસિટી 14 મેટ્રિક ટનની છે. ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો પણ તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, આ સાથે જ રાજકોટમાં વધુમાં વધુ બાળકોનું વેકસીનેશન થાય તે માટેના પ્રયાસો શરૂ છે.

જિલ્લામાં 80 ટકા કિશોરોને અપાઇ વેક્સિન અપાઇ

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુમાં વધુ કિશોરોને વેક્સિન લે તે બાબતે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 80 ટકા જેટલા કિશોરોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આ પણ વાંચો :Omicron Working As Natural Vaccine: ઓમિક્રોનનુ હળવું સંક્રમણ એ એક પ્રકારની પ્રાકૃતિક વેક્સિન છે, જાણો કેમ..

ABOUT THE AUTHOR

...view details