- "તૌકતે" વાવાઝોડાંના કારણે બંધ કરવામાં આવ્યા હતા તમામ રૂટ
- કુલ 43 રૂટમાંથી 11 રૂટ કરવામાં આવ્યા શરૂ
- કોરોના ગાઈડલાઈન સાથે કર્મચારીઓ બજાવી રહ્યાં છે પોતાની ફરજ
રાજકોટ: કોરોના મહામારીએ આખા દેશમાં તેનો કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે કોરોના કહેરમાંથી રાજકોટ જિલ્લાનું ધોરાજી પણ બાકાત રહ્યું નથી. કોરોના મહામારી વચ્ચે કુદરતો કહેર એટલે કે "તૌકતે" વવાઝોડાનું સંકટ ગુજરાત ઉપર આફત બનીને આવ્યું હતું. જેની અગાઉથી જ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને લઈને વિવિધ સરકારી તંત્ર દ્વારા સાવચેતી દાખવવામાં આવી હતી. ધોરાજીના સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે ST વિભાગ દ્વારા પણ સાવચેતી અને તકેદારીના ભાગરૂપે ધોરાજી ST ડેપોના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યાં હતા.
આ પણ વાંચો: બારડોલી STને કોરોનાનું ગ્રહણ, પ્રવાસી નહીં મળતા 25 શેડ્યૂલ રદ્દ કરાયા
એક જ કર્મચારી કોરોના સંક્રમિત