- આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
- મિયાવાકી ફોરેસ્ટમાં 8,358 ચો.મી. જગ્યામાં જુદા-જુદા વૃક્ષનું વાવેતર કરાશે
- આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે
રાજકોટ: રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી(Vijay Rupani)ના જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ પર જાપાનીઝ પદ્ધતિથી તૈયાર કરાયેલું 'મિયાવાકી ફોરેસ્ટ'(Miyawaki Forest) મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે આજે રાજકોટના નગરજનોને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વરભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો-Miyawaki Forest: રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અનેક શહેરોમાં તૈયાર કરશે મિયાવાકી ફોરેસ્ટ
સાંસદ, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગજરાત પ્રદેશ પ્રધાન બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહાપ્રધાન જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેરના પદાધિકારીઓ- અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મિયાવાંકી ફોરેસ્ટમાં 23,725 વૃક્ષોનું વાવેતર
ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી(Vijay Rupani)ના 65માં જન્મદિનના શુભ અવસરે મિયાવાકી ફોરેસ્ટ(Miyawaki Forest) માં 8,358 ચો.મી. જગ્યામાં જુદા-જુદા 6 બ્લોકમાં કુલ 23,725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
સિનિયર સિટીઝન પાર્ક, ઓપન એર-જીમ, વોકિંગ ટ્રેકની સુવિધા ઉભી કરાઇ છે.
“મિયાવાકી ફોરેસ્ટ ”(Miyawaki Forest) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના નાગરિકો માટે શહેરના વિકાસ અને સ્થળની સ્થિતીને ધ્યાને રાખી પોત-પોતાના વિસ્તારમાં હરવા-ફરવા માટે નાના-મોટા 158 બગીચાઓ, “સિનિયર સિટીઝન પાર્ક”, “ઓપન એર-જીમ”, વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિડાંગણ, ફિઝીકલ ફિટનેશના સાધનો વગેરેની સુવિધાઓ આપવામાં આવે છે. શહેરના સમાંતરીત વિકાસની સાથે આ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 2006માં પ્રારંભિક તબ્બકે ઘનિષ્ઠ વૃક્ષારોપણની કામગીરી
શહેરનું પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચવાળા વૃક્ષોનું જે તે જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી તેની નિયમિત જાળવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે. શહેરમાં તેમજ ભાગોળના વિસ્તારમાં હરિયાળીનો મહત્તમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્ચિમ વિસ્તારના ન્યારીડેમ-1ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકાર તરફ્થી ફાળવવામાં આવેલી અંદાજીત 19 હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનમાં વર્ષ 2006માં પ્રારંભિક તબ્બકે ઘનિષ્ઠ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે.
જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ ઉભુ