- જામનગર માટે 15 હજાર ડોઝ રાજકોટથી મોકલવામાં આવ્યા હતા
- કચ્છ માટે 10 હજાર ડોઝ ડાયરેક્ટ ગાંધીનગરથી મોકલવામાં આવ્યા
- સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લાઓ માટે કુલ 75 હજારના ડોઝ ફાળવાયા હતા
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા 1લી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વય ધરાવતા લોકો માટે કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે. ત્યારે શનિવારથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને વિધિવત રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટ માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર કોરોના વેક્સિનના ડોઝ ફાળવાયા છે. જે વહેલી સવારે રોડ મારફતે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રાજકોટમાં 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃરાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા