રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન ખાતે હંગામી અસરથી બંધ કરવામાં આવેલી આધાર નોંધણી કેન્દ્રો 5 ઓક્ટોબરથી પુન: કાર્યરત્ત કરવામાં આવેલા છે. જેમાં આધાર નોંધણી ખાતે લાભ લેવા માટે અરજદારે ઓનલાઈન અને ટેલીફોનિક અપોઈન્ટમેન્ટ લેવાની રહે છે.
રાજકોટ મનપા દ્વારા આધાર કેન્દ્ર સુવિધા શરૂ કરવામાં આવી - રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન ખાતે હંગામી અસરથી બંધ કરવામાં આવેલી આધાર નોંધણી કેન્દ્રો 5 ઓક્ટોબરથી પુન: કાર્યરત્ત કરવામાં આવેલા છે.
![રાજકોટ મનપા દ્વારા આધાર કેન્દ્ર સુવિધા શરૂ કરવામાં આવી રાજકોટ મનપા દ્વારા આધાર કેન્દ્ર સુવિધા શરૂ કરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9078198-thumbnail-3x2-m.jpg)
રાજકોટ મનપા દ્વારા આધાર કેન્દ્ર સુવિધા શરૂ કરવામાં આવી
શહેરના ત્રણેય ઝોનમાંથી આજે એટલે કે મંગળવારે અંદાજે 125 લોકોએ આધાર કેન્દ્ર સેવાનો લાભ લીધો હતો. આ કામગીરી દરમિયાન એક અરજદારની સેવા પૂર્ણ થયે ઉપયોગમાં લેવાયેલી બાયોમેટ્રિક ડિવાઇઝને ફરી સેનિટાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ(covid-19)નું સંક્રમણ અટકાવવા માટે મનપા દ્વારા ગ્રાઇડ લાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેનું આધાર કેન્દ્રોની મુલાકાત લેનારા લોકોએ ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે.