ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોનાનો કહેર, મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ - Rajkot news

રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને અલગ અલગ સંગઠન અને વેપારી એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવાર એમ બે દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે.

lockdown
lockdown

By

Published : Apr 10, 2021, 7:08 AM IST

  • રાજકોટમાં કોરોનાનો કહેર વધ્યો
  • મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ
  • CM રૂપાણીએ રાજકોટના વેપારીઓને અપીલ કરી

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક માસથી રાજકોટમાં દરરોજ 100 કરતા વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં અલગ અલગ સંગઠન અને વેપારી એસોસિએશન દ્વારા શનિ અને રવિવાર એમ બે દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. આમ બે દિવસ સ્વૈચ્છિક બંધને પગલે રાજકોટમાં કોરોના સંક્રમણની ચેન રોકી શકાશે.

રાજકોટ

આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ રાજકોટની સ્થિતિનો ખ્યાલ મેળવ્યો

ગઈકાલે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ રાજકોટની સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ CM રૂપાણીએ રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની વેપારીઓને અપીલ કરી હતી.

મોટાભાગની બજારો સ્વૈચ્છિક બંધ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગઈકાલે શુક્રવારે વેપારીઓ અને અલગ અલગ સંગઠનોને અપીલ કરવામાં આવી છે. જેમાં શનિ અને રવિવાર એમ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના નિર્ણયને રાજકોટમાં મોટાભાગના વેપારી એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવનારી છે. જેમાં રાજકોટની સોની બજાર, જેમ્સ એન્ડ જવેલરી એટલે કે પેલેસ રોડ, પાન માવા એસોસિએશન, મશીન ટુલ્સ એસોસિએશન સહિતના વિવિધ વેપારી મંડળ દ્વારા શનિ અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

આ પણ વાંચો :મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુએ લુણાવાડા કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત

ચેમ્બર ઓફ કોમર્સની પણ વેપારીઓને અપીલ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સત્તાવાર રીતે શહેરના વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, રાજકોટ સહિત જિલ્લાઓમાં કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન જરૂરી છે. જેને લઈને શનિ અને રવિ એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન સ્વૈચ્છિક રાખવામાં આવે.

ચેમ્બરના નિર્ણયને સૌ વેપારીઓને માન્ય

આ મામલે રાજકોટ ચેમ્બર દ્વારા પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચેમ્બરના પ્રમુખ વી. પી. વૈષ્ણવ દ્વારા જણાવામાં આવ્યું છે કે, અગાઉ રાજકોટના અલગ અલગ વેપારી સંગઠનો અને એસોસિએશન સાથે ચેમ્બર ઓફ કોમર્સની ઓનલાઈન તેમજ ઓફલાઈન મિટિંગ યોજાઈ હતી. જેમાં ચેમ્બરના નિર્ણયને માન્ય રાખવાનું સૌ વેપારી એસોસિએશન દ્વારા જણાવામાં આવ્યું હતું. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિ અને રવિવાર એમ બે દિવસ રાજકોટમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને પણ રાજકોટમાં યોજી બેઠક

રાજકોટ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ગઈકાલે શુક્રવારે રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ પણ હતા. જેમને રાજકોટમાં મેયર, ધારાસભ્ય, કમિશનર અને કલેક્ટર તેમજ આરોગ્ય અધિકારી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી અને રાજકોટમાં કોરોના દર્દીઓ માટે તંત્રની શું વ્યવસ્થા છે. તેમજ કેટલા બેડ છે આ સાથે દવાઓ અને ઇન્જેક્શન સહિતની વસ્તુઓ અંગેની માહિતી મેળવી હતી. જે બાદ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ CM રૂપાણીએ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details