ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કરફ્યૂને લઈને સાંજે આવી શકે છે નિર્ણય - The decision may come in the evening regarding curfew in Rajkot

રાજ્યમાં થોડા દિવસ પહેલા પુરા થયેલા તહેવારો અને શિયાળાની શરૂઆત સાથે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે અમદાવાદમાં લાદવામાં આવેલા કરફ્યૂના કારણે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કરફ્યૂ લાગૂ કરવામાં આવી શકે છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાજકોટમાં પણ કરફ્યૂ લાગવાના એંધાણ જોવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં કરફ્યૂને લઈને સાંજે આવી શકે છે નિર્ણય
રાજકોટમાં કરફ્યૂને લઈને સાંજે આવી શકે છે નિર્ણય

By

Published : Nov 20, 2020, 4:29 PM IST

  • પોઝિટિવ દર્દીનો મોબાઈલ ટ્રેસ કરીને 8 દિવસમાં સંપર્કમાં આવેલા વ્યક્તિને કોરન્ટાઈન કરવામાં આવશે
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા પર પોલીસ કાર્યવાહી કરશે
  • રાજકોટમાં કરફ્યૂ અંગે સાંજ સુધીમાં આવી શકે નિર્ણય

રાજકોટ: રાજ્યમાં થોડા દિવસ પહેલા પુરા થયેલા તહેવારો અને શિયાળાની શરૂઆત સાથે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે અમદાવાદમાં લાદવામાં આવેલા કરફ્યૂના કારણે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કરફ્યૂ લાગૂ કરવામાં આવી શકે છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાજકોટમાં પણ કરફ્યૂ લાગવાના એંધાણ જોવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં કરફ્યૂને લઈને સાંજે આવી શકે છે નિર્ણય

શુક્રવારે 45 પોઝિટિવ કેસ નોંધાયા

શુક્રવારના રોજ 45 જેટલા કેસો નોંધાયા છે, અત્યાર સુધીના 9936 જેટલા કેસ નોંધાય ચુક્યા છે. જેમાંથી 636 ડેટા પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવના કેસની સખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પોલીસ તંત્ર ફરીથી સક્રિય બન્યું છે.

નિયમોનું પાલન નહીં કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે

જો કે તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઈલ કોલ ટ્રેસિંગ કરવામાં આવશે, પોઝિટિવ આવેલ દર્દીના આઠ દિવસની અંદર સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ કોરન્ટાઈન કરવામાં આવશે. જ્યારે માસ્ક નહીં પહેરનાર, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટમાં કરફયૂ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે

આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર પર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે અગાઉના જાહેરનામા મુજબ ટુ વ્હીલ પર બે વ્યક્તિ જ પ્રવાસ કરી શકશે. રિક્ષા ડ્રાઇવર સહિત ત્રણ, કાર ડ્રાઈવર સહિત ત્રણ, તેમજ મોટી કાર ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિ પ્રવાસ કરી શકશે, રાજકોટ પોલીસ દ્વારા આ અંગે ફૂલ ચેકિંગ શરૂ કરવામાં આવશે. તેમ જ દુકાનો અને મોલમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર દુકાનદાર સામે પોલીસ કાર્યવાહી કરશે.

ABOUT THE AUTHOR

...view details