ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાના કારણે મોત - About 60 patients die every day in Rajkot due to corona

રાજકોટમાં કોરનાના કેસ વધી રહ્યા છે. દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નવા નોંધાઇ રહ્યા છે. જ્યારે દરરોજ 60 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થઈ રહ્યા છે. જે દરમિયાન છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા 59 જેટલા દર્દીઓના મોત થયા છે.

News of death from corona in Rajkot
News of death from corona in Rajkot

By

Published : May 7, 2021, 6:16 PM IST

  • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાના કારણે મોત
  • રાજકોટ માટે સારા સમાચાર
  • હજુ પણ દરરોજ 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ

રાજકોટ : શહેરમાં કોરોના મહામરીના કારણે હાહાકાર જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નવા નોંધાઇ રહ્યા છે. જ્યારે દરરોજ 60 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થઈ રહ્યા છે. જે દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 59 જેટલા દર્દીઓના મોત થયા છે. જોકે આ દર્દીઓના મોત મામલે આખરી નિર્ણય કોવિડ ડેથ કમિટી દેરા લેવામાં આવશે, પરંતુ રાજકોટમાં હજુ પણ કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાના કારણે મોત

આ પણ વાંચો : દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત, અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા

હોસ્પિટલ બહારથી એમ્બ્યુલન્સની લાઇન લાગવાની બંધ

રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા સિવિલ ખાતે બનાવામાં આવેલી કોવિડ હોસ્પિટલ બહાર 108, એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની કતાર જોવા મળતી હતી. જ્યારે દૂર દૂરથી આવેલા દર્દીઓને અહીં સારવાર લેવા માટે વેઇટિંગમાં ઉભું રહેવું પડતું હતું, પરંતુ છેલ્લા 5 દિવસથી કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતાર જોવા મળી નથી. જે રાજકોટ માટે સારા સમાચાર કહી શકાય છે, પરંતુ રાજકોટમાં હજુ પણ દરરોજ 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જે ચિંતાનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details