ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ કોરોનાના 197 પોઝિટિવ કેસ નોંધાયા - corona positive case

ગ્રામ્યમાં 26 મેના રોજ 197 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા છે. સારવાર દરમિયાન વધુ 04 દર્દીના મોત થયા છે. આજે વધુ 207 દર્દીઓ સ્વસ્થ થયા છે તેમજ હાલ 1,771 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગ્રામ્યમાં આજે ફરી કોરોના કેસ 200 નજીક
ગ્રામ્યમાં આજે ફરી કોરોના કેસ 200 નજીક

By

Published : May 26, 2021, 11:22 AM IST

  • ગ્રામ્યમાં આજે ફરી કોરોના કેસ 200 નજીક
  • સારવાર દરમિયાન વધુ 04 દર્દીના થયા મોત
  • આજે વધુ 207 દર્દીઓ સ્વસ્થ થયા

સુરત: ગ્રામ્યમાં થોડા દિવસની આંશિક રાહત બાદ ફરી ધીમે-ધીમે કોરોના આક્રમણ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજ રોજ સુરત ગ્રામ્યમાં વધુ 197 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ 04 દર્દીઓના મોત થયા હતા. હાલ ગ્રામ્યમાં 1,771 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે આજે વધુ 207 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થતાં તેઓને રજા આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરતમાં ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે બે દિવસમાં 960 ઇન્જેક્શનની ફાળવણી

કોરોના કેસનો આંકડો 40 હજાર નજીક

ગ્રામ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના કેસોની વાત કરીએ તો, હાલ કોરોના કેસનો આંકડો 30,708 પર પહોંચી ગયો છે. જ્યારે વાઈરસના લીધે 448 દર્દીઓના મોત થયા છે. જ્યારે કોરોનાને અત્યાર સુધી 28,489 લોકોએ માત આપી છે.

આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં આજે વધુ 748 લોકોએ કોરાનાની રસી લીધી

ABOUT THE AUTHOR

...view details