- સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે કરાવવામાં આવી સલામત પ્રસુતિ
- વાવાઝોડાની મેઘલી રાતે રાજકોટ જિલ્લામાં અવતર્યા 12 નવજાત શિશુઓ
- વિકટ પરિસ્થિતિમાં પણ ખડેપગે રહ્યા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ
રાજકોટ: જિલ્લા પંચાયતના આર.સી.એચ. અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, સાણથલી, વિંછીયા, જસદણ, ધોરાજી, ગોંડલ અને ઉપલેટાના સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે એક-એક બાળક તથા જેતપુરના આરોગ્ય કેન્દ્ર ખાતે બે બાળકોના જન્મ 17 મી મેની રાત્રીએ થયા છે.