રાજકોટઃ કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલના 11 જેટલા ડોકટર દ્વારા વહીવટી તંત્રને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.
આ મામલે ઘમાસાણ એટલે સર્જાયું કે, જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર-15માં હાલ ફરજ બજાવતા ડો. એસ.કે ગઢવીની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સાથી ડોકટર દ્વારા આ મામલે સિવિલ તંત્રને રજુઆત કરવા આવી હતી કે, બદલી ન કરવા આવે, જ્યારે સિવિલ તંત્રને રજુઆત બાદ અન્ય ડોક્ટર જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને પણ આ મામલે રજુઆત કરવા માટે ગયા હતા.