દાતાર પર્વત પરનો ઝાલરીયો પથ્થર, ભક્તોની અપરંપાર શ્રદ્ધાનું સ્થળ - દાતાર બાપુ
જૂનાગઢમાં આવેલા દાતાર પર્વત અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બિરાજતાં દાતાર બાપુ હરકોઈના દુઃખદર્દ દૂર કરતાં હોવાનો ભરોસો આજે પણ દાતારના સેવકોમાં જોવા મળે છે. આ જ પર્વત પર ઝાલરની જેમ રણકાર ઉત્પન્ન કરતો ઝાલરીયો પથ્થર પણ આવેલો છે. ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી યાત્રા બાદ ઝાલરીયા પથ્થર પર પહોંચી શકાય છે.
![દાતાર પર્વત પરનો ઝાલરીયો પથ્થર, ભક્તોની અપરંપાર શ્રદ્ધાનું સ્થળ દાતાર પર્વત પરનો ઝાલરીયો પથ્થર, ભક્તોની અપરંપાર શ્રદ્ધાનું સ્થળ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7749658-thumbnail-3x2-zalariyo-7200745.jpg)
દાતાર પર્વત પરનો ઝાલરીયો પથ્થર, ભક્તોની અપરંપાર શ્રદ્ધાનું સ્થળ
જૂનાગઢઃ જૂનાગઢમાં આવેલ દાતાર પર્વત સદીઓથી અડીખમ ઉભો છે. આ પર્વત પર વર્ષો પહેલાં દાતાર બાપુ બિરાજતાં હતાં અને આજે પણ તેમનો વાસ આસપાસમાં હોય તેઓ અનુભવ દાતાર પર્વત પર જતાં હરકોઈ સેવકને ચોક્કસપણે થઈ આવે. દાતાર બાપુ પર ભક્તોનો વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા આજે પણ અકબંધ જોવા મળે છે. આજ પર્વત પર ઝાલરની જેમ રણકાર ઉત્પન્ન કરતાં ઝાલરિયા પથ્થર સુધી ખૂબ જ મુશ્કેલ અને ઉબડખાબડ પર્વત પર પગપાળા યાત્રાથી પહોંચી શકાય છે.
દાતાર પર્વત પરનો ઝાલરીયો પથ્થર, ભક્તોની અપરંપાર શ્રદ્ધાનું સ્થળ
Last Updated : Jun 25, 2020, 1:44 PM IST