ગુજરાત

gujarat

ETV Bharat / city

આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ તરફથી ટ્રેડિશનલ ડ્રેસમાં મધ્યમ પ્રતિભાવ!

જૂનાગઢઃ માં અંબાની આરાધના કરવાનો અવસર એટલે નવલા નોરતા. નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે નવરાત્રીને લઇને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસને લઇને ખૂબ જ એક્સાઇટેડ છે. પરંતુ, જૂનાગઢની બજારમાં આ વર્ષે ખેલૈયાઓનો મધ્યમ પ્રતિભાવ સાંપડી રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં વિવિધતા જોવા મળી રહી છે.

By

Published : Sep 25, 2019, 8:30 PM IST

આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ તરફથી ટ્રેડિશનલ ડ્રેસમાં મધ્યમ પ્રતિભાવ!

નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ અને ભારતીય હસ્તકળાઓ દ્વારા બનાવવામાં આવેલા આ ડ્રેસ પહેરીને માં જગદંબાના ગરબે ઘૂમતા હોય છે. પરંતુ, આ વખતે ટ્રેડિશનલ ડ્રેસની બજારમાં પણ ખેલૈયાઓનો હજૂ સુધી અપેક્ષિત પ્રતિભાવ નહીં મળતા વેપારીઓ પણ થોડા ચિંતિત બની રહ્યા છે.

આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ તરફથી ટ્રેડિશનલ ડ્રેસમાં મધ્યમ પ્રતિભાવ!

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટ્રેડિશનલ ડ્રેસના ભાવ અને તેના ભાડામાં ક્રમશ 10થી લઈને ૩૦ ટકા સુધી વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવરાત્રીમાં કેડિયું અને ચણિયાચોળીની વિશેષ માગ જોવા મળતી હોય છે. સામાન્ય સંજોગોમાં કેડિયું અને ચણિયાચોળી એક વિવિધ ભરતગુંથણ અને અલગ-અલગ પ્રાંતની હસ્ત કળાઓને ઉજાગર કરતી હોય છે. તે માટે તેના બજારભાવથી લઈને તેના ભાડામાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. આ વખતે 400 રૂપિયાથી લઈને 3 હજાર રૂપિયા સુધીના ચણિયાચોળી અને કેડિયું બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેને ગ્રાહકનો મધ્યમ અથવા તો નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેને કારણે આ વખતે નવરાત્રી કદાચ ફિક્કી જાય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details