- જૂનાગઢમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ઓક્સિજનની અછતથી દર્દીઓના મોતના આક્ષેપને ફગાવ્યા
- સૌરાષ્ટ્રમાં યોજાતા આવતા પારંપરિક લોકમેળાનું આયોજન પણ વર્તમાન સમયમાં મુશ્કેલ
- આગામી દિવસોમાં રાજ્ય શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણને લઈને બની રહ્યો છે હકારાત્મક
જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજર રહેલા મુખ્યપ્રધાન રૂપાણીએ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે પરંતુ કોરોના હજુ આપણી વચ્ચે છે. આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પારંપરિક લોકમેળાનું આયોજન ખુબ જ મુશ્કેલ બની રહેશે. વધુમાં તેમણે વિપક્ષના ઓક્સિજનની અછતથી દર્દીઓના મોત થતા હોવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ દર્દીનું મોત હજુ સુધી થયું નથી.