ગુજરાત

gujarat

ETV Bharat / city

Somnath Trust Plantation Resolution: સોમનાથ ટ્રસ્ટે જિલ્લાને લીલોછમ બનાવવા 11 લાખ વૃક્ષ વાવવાનો કર્યો સંકલ્પ - ગીર સોમનાથમાં મુખ્યપ્રધાને વૃક્ષારોપણ કર્યું

ગીર સોમનાથમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસ (CM Bhupendra Patel Republic Day Celebration) નિમિત્તે ધ્વજવંદન કર્યું હતું. તે દરમિયાન સોમનાથ ટ્રસ્ટે 11 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ (Somnath Trust Plantation Resolution) કર્યો હતો. ત્યારે મુખ્યપ્રધાન આ સંકલ્પના સહભાગી બન્યા હતા.

Somnath Trust Plantation Resolution: સોમનાથ ટ્રસ્ટે જિલ્લાને લીલોછમ બનાવવા 11 લાખ વૃક્ષ વાવવાનો કર્યો સંકલ્પ
Somnath Trust Plantation Resolution: સોમનાથ ટ્રસ્ટે જિલ્લાને લીલોછમ બનાવવા 11 લાખ વૃક્ષ વાવવાનો કર્યો સંકલ્પ

By

Published : Jan 26, 2022, 4:25 PM IST

ગીર સોમનાથઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લામાંપ્રજાસત્તાક દિવસની (CM Bhupendra Patel Republic Day Celebration) ઉજવણી કરી હતી. તે દરમિયાન સોમનાથ ટ્રસ્ટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 11 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ (Somnath Trust Plantation Resolution) કર્યો હતો.

આ પણ વાંચો-Republic Day Parade at Delhi Rajpath: રાજપથની પરેડમાં સૌપ્રથમ વખત જોવા મળી ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

જિલ્લામાં આ ઉજવણી દરમિયાન સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાને (CM Bhupendra Patel planted trees in Gir Somnath) સોમનાથ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ (Somnath Trust Plantation Resolution) કર્યું હતું. સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટના વૃક્ષારોપણ અભિયાનને (Somnath Trust Tree Planting Campaign) સમર્થન આપ્યું હતું.

મુખ્યપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો-PM Modi tributes to Martyrs: નેશનલ વોર મેમોરિયલ પહોંચી PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

સોમનાથ ટ્રસ્ટ આવતા વર્ષે 11 લાખ જેટલા વૃક્ષ વાવશે

સોમનાથ ટ્રસ્ટ આગામી વર્ષમાં 11 લાખ જેટલા વૃક્ષોનું વિવિધ જગ્યા પર વાવેતર કરશે. સાથે જ ટ્રસ્ટે સોમનાથ વિસ્તારને લીલોછમ અને હરિયાળો બનાવવાનાની પહેલ કરી છે. ત્યારે આ પ્રથમ વખત સોમનાથ આવેલા મુખ્યપ્રધાન પણ આ સંકલ્પના સહભાગી થયા હતા અને વૃક્ષારોપણ જેવા પવિત્ર કામમાં જોડાયા હતા.

મુખ્યપ્રધાને સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની લીધી મુલાકાત

તૌકતે વાવાઝોડા બાદ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોને થયું છે નુકસાન

ગયા વર્ષે મે મહિનામાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે જિલ્લાને મોટા પાયે નુકસાન થયું હતું. તેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટે 11 લાખ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. તે મુજબ, વૃક્ષારોપણ કાર્યક્રમ આગળ (CM Bhupendra Patel planted trees in Gir Somnath) ધપી રહ્યો છે. મુખ્યપ્રધાન આજે સોમનાથની મુલાકાતે હતા. અહીં તેમના દ્વારા પણ વૃક્ષારોપણ કરાવીને 11 લાખ વૃક્ષોના રોપણના સંકલ્પને વધુ આગળ લઈ જવામાં આવ્યો હતો. સાથે જ સોમનાથ ટ્રસ્ટે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર રાજ્યના લોકો ટ્રસ્ટના આ સંકલ્પમાં જોડાય તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details