ગુજરાત

gujarat

ETV Bharat / city

સોનલ ધામ મઢડાના દિવંગત બનુઆઈને ધાર્મિક વિધિ વિધાન સાથે આપવામાં આવી સમાધિ - બનુઆઈના અંતિમ દર્શન

મઢડા સોનલધામ બ્રહ્મલીન થયેલા બનુઆઈ (sonal dham Banuaai samadhi)ને ધાર્મિક વિધિ વિધાન સમાધી આપવામાં આવી હતી. મઢડાના બનુઆઈ ગઈ કાલે દેવલોક સિધાવ્યા હતા.

સોનલ ધામ મઢડાના દિવંગત બનુઆઈને ધાર્મિક વિધિ વિધાન સાથે આપવામાં આવી સમાધિ
સોનલ ધામ મઢડાના દિવંગત બનુઆઈને ધાર્મિક વિધિ વિધાન સાથે આપવામાં આવી સમાધિ

By

Published : Feb 15, 2022, 9:27 PM IST

જૂનાગઢ: આજે તેમની સમાધિ (sonal dham Banuaai samadhi)ના પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સેવકો ભક્તો અને સાધુ સંતોની હાજરીમાં બનુઆઈના નશ્વર દેહને ધાર્મિક વિધિ વિધાન અને હિંદુ ધર્મ સંસ્કૃતિ મુજબ સમાધિ અર્પણ કરવામાં આવી હતી. સમાધિના પ્રસંગે મોટી સંખ્યામાં સોનલ ધામ (junagadh sonal dham madhda )ની સાથે જોડાયેલા સર્વ જ્ઞાતિના સેવકો ભક્તો અને ભાવિકોએ દેવી સ્વરૂપ બનુઆઈના અંતિમ દર્શન (The final vision of Banuaai) કરીને તેને સમાધિ અર્પણ કરવામાં સહભાગી બન્યા હતા. બનુઆઇના સેવકો સમગ્ર વિશ્વમાં છે, ત્યારે તેમના દેવલોક પામ્યા ના સમાચારને લઈને તેના સેવકોમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે અને ભારે હૈયે આજે તેમને સમાધિ આપવામાં આવી હતી.

સોનલ ધામ મઢડાના દિવંગત બનુઆઈને ધાર્મિક વિધિ વિધાન સાથે આપવામાં આવી સમાધિ

આ પણ વાંચો:Ahmedabad Serial Bomb Blast 2008 : સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો 18 તારીખ સુધી મુલતવી રાખ્યો

બનુઆઇને સમાધિ આપવાના પ્રસંગે સંત સમુદાય પણ રહ્યો હાજર

ચારણ સમાજમાં દેવી સ્વરૂપ તરીકે પૂજાતા આવતા સોનલમાના પરિવારના બનુ આઈ દેવલોક પામતાં સમગ્ર સૌરાષ્ટ્રના સાધુ-સંતોએ દિવંગત બનુઆઇની સમાધિ પ્રસંગે હાજર રહ્યા હતા. ચારણ ગઢવી સમાજમાં સોનલ માતાજી બાદ બનું આઈ દેવી સ્વરૂપ તરીકે પૂજાય રહ્યા હતા. આજે તેમને અંતિમ વિદાય આપતી વખતે સાધુ-સંતો અને તેમના સેવકો પણ ખૂબ ગમગીન બની ગયા હતા. 93 વર્ષ સુધી સમાજને નવી રાહ ચિંધનાર બનુઆઈ દિવંગત થતા તેમને બેન્ડ વાજા સાથે સમાધિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:Grisma Murder Case: એક તરફી પ્રેમમાં થયેલ યુવતીની હત્યાના મામલે કોંગ્રેસની સહાનુભૂતી

ABOUT THE AUTHOR

...view details